અરવલ્લીઃ જિલ્લાના તમામ તાલુકા અને નગરોમાં રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લાના નગરોના મોટા ભાગના મુખ્ય માર્ગો પર પશુઓ અંડીગો જમાવી બેસી રહે છે. જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. માર્ગમાં રખડતા પશુઓ પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યા છે, ત્યારે રખડતા પશુઓના પગલે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા ભિલોડા પીએસઆઈ કે.કે.રાજપૂતે ભિલોડા ગ્રામ પંચાયતને નોટિસ આપી છે.
રખડતા ઢોરની સમસ્યાને લઇ ભિલોડા PSIએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી - Aravalli News
અરવલ્લી જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા દિનપ્રતિ દિન વકરી રહી છે. ત્યારે મોટાભાગે ગૌપાલકો તેમના પશુઓને છુટ્ટા મૂકી દેતા રોડ પર આવી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. જેન લઇ જિલ્લાના ભિલોડાના PSIએ ગ્રામ પંચાયતના સરપંચને નોટિસ ફટકારી આ સમસ્યાનું ત્વરીત નિવારણ લાવવા તાકીદ કરી છે.
![રખડતા ઢોરની સમસ્યાને લઇ ભિલોડા PSIએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી રખડતા ઢોરની સમસ્યાને લઇ ભિલોડા PSI પંચાયતને નોટીસ ફટકારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8649510-333-8649510-1599033114824.jpg)
રખડતા ઢોરની સમસ્યાને લઇ ભિલોડા PSI પંચાયતને નોટીસ ફટકારી
નગરના માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવા રખડતા પશુઓને પાંજરે પોળ મોકલી આપવા સૂચન કર્યુ છે. નોટિસમાં જણાવ્યું છે કે, ભિલોડા ટાઉન વિસ્તારમાં રોડ પર રખડતા ઢોર તેમજ રોડ પર ગાય બેસી રહેતી હોવાથી અકસ્માત થવાની શક્યતા રહે છે, ત્યારે સત્વરે ઢોર માલિકોને જાણ કરી રખડતા ઢોરને પોતાના ઘરે બાંધી રાખી નગરના માર્ગો પર રખડતી જોવા મળશે. તો ઇડર પાંજરાપોળ મોકલી આપવા કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.
Last Updated : Sep 2, 2020, 2:55 PM IST