ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં પાન મસાલાના વેચાણ બંધ કરવવા પોલીસ સતર્ક, 2 દુકાનદારોને ઝડપી પાડ્યા - કોરોના

કોરોનાના પગલે લોકડાઉન અમલમાં છે તેમ છતાં પાન-મસાલાની દુકાનવાળા યેન કેન પ્રકારે રોકડી કરવાનું ચૂકતા નથી. લોકડાઉનના સમયમાં દુકાનો બંધ છે તેનો ગેરફાયદો ઉઠાવી કેટલાક તકવાદી પાર્લર માલિકો પાન-મસાલા અને ગુટખાનો ત્રણ-ચાર ગણો ભાવ લઈ ઘરેથી વેચાણ કરી રહ્યા છે અને કેટલાક તો જીવનજ રૂરીયાત ચીજ વસ્તુઓની આડમાં ખુલ્લેઆમ પાન-મસાલા, ગુટખા તમાકુનું વેચાણ કરી રહ્યા છે. જિલ્લા એલ.સી.બી પોલીસસે સતત બીજા દિવસ આવા બે દુકાનદારોને ઝડપી પાડયા છે.

પાન મસાલાના વેચાણ બંધ કરવવા પોલીસની સત્તત વોચ
પાન મસાલાના વેચાણ બંધ કરવવા પોલીસની સત્તત વોચ

By

Published : Apr 5, 2020, 5:19 PM IST

અરવલ્લી : જિલ્લા એલસીબી પોલીસને અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં કેટલાક વેપારીઓ લોકડાઉનના સમયમાં ગેરકાયદેસર દુકાન ખુલ્લી રાખી જીવનજરૂરિયાત ચીજ વસ્તુઓની આડમાં પાન-મસાલા ગુટખા અને માવાનું વેચાણ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થતા છગનલાલ મલજીરામ જનરલ સ્ટોર્સમાં રેડ કરી હતી.

આ દુકાનમાંથી પાન-મસાલા ગુટખા તમાકુના 160 પેકેટ કીંમત રૂપિયા 21,065 સાથે વેચાણ કરતા છગનલાલ મલજીરામ શાહને ઝડપી લીધા હતા. જ્યારે મોડાસાના ગાંધીવાડા વિસ્તારમાં આવેલા શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોરમાં પાન-મસાલા ગુટખાનું વેચાણ કરતા સંજય ઇન્દુલાલ પરીખને રૂપિયા 633ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંને વેપારીઓ સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ABOUT THE AUTHOR

...view details