અનુ.જાતિના વરઘોડા વખતે અથડામણ સંદર્ભે 150 વ્યક્તિઓ વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ - FIR
અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે ગત રવિવારના રોજ અનુસૂચિત જાતિના વરઘોડા વખતે જૂથ અથડામણ થઇ હતી. આ અંગે પોલીસે 150ના ટોળા વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે. જેમાં ઇ.પી.કો ની અન્ય કલમો સાથે એટ્રોસીટીની કલમ પણ દાખલ કરવામાં આવી છે.
અરવલ્લી
પ્રાપ્ત વિગતો અનુસાર, અનુસૂચિત જાતિના વરઘોડા વખતે અથડામણ થઈ હતી. જે સંદર્ભે 150 વ્યક્તિઓ વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આ ફરિયાદમાં 42 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ છે જેમાં 150 લોકોના ટોળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.