ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના ભિલોડામાં એક વ્યક્તિની ઇલેક્ટ્રીક શોક આપી કરાઈ હત્યા

અરવલ્લી જિલ્લાના ભિલોડાના ડોડીસરા ગામમાં એક વ્યક્તિનું પાંચ ઇસમો દ્રારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદમાં વ્યક્તિને માર મારી વીજ કરન્ટ આપી હત્યા કરવામાં આવી છે. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ અંગે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By

Published : Nov 26, 2020, 1:02 PM IST

અરવલ્લીના ભિલોડામાં એક વ્યક્તિનું ઇલેક્ટ્રીક શોક આપી કરાઈ હત્યા
અરવલ્લીના ભિલોડામાં એક વ્યક્તિનું ઇલેક્ટ્રીક શોક આપી કરાઈ હત્યા

  • ભિલોડામાં યુવકના અપહરણ બાદ હત્યા
  • વિધીના બહાને બળબજરીથી બેસાડ્યો ગાડીમાં
  • વિજ કરંટ આપી કરવામાં આવી હત્યા

અરવલ્લીઃ જિલ્લાના ભિલોડાના ડોડીસરા ગામમાં એક વ્યક્તિનું પાંચ ઇસમો દ્રારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદમાં વ્યક્તિને માર મારી વીજ કરન્ટ આપી હત્યા કરવામાં આવી છે. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ અંગે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અરવલ્લીના ભિલોડામાં એક વ્યક્તિનું ઇલેક્ટ્રીક શોક આપી કરાઈ હત્યા
જીવંત વાયરથી ઇલેકટ્રીક શોક આપી હત્યાભિલોડા શામળપુરના રહેવાસી કડવા ગામેતીનું પાંચ ઇસમો દ્વારા અપહરણ બાદ ગડદાપાટુનો માર મારી, ઇલેકટ્રીક કરંટ આપી મોત નિપજાવતા ચકચાર મચી છે. પોલીસે નોંધેલી ફરીયાદ મુજબ શામળપુરના રહેવાસી કડવા ગામેતીને વિધી કરવાના બહાને પાંચ ઇસમોએ બળજબરીથી ગાડીમાં બેસાડી ડોડીસરા ગામે લાવ્યા હતા. જ્યાં મૃતકને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. તેમજ સ્વીચ બોર્ડના જીવંત વાયરથી ઇલેક્ટ્રીક શોક આપી મોત નિપજાવ્યું હતું.

ભિલોડા પોલીસે નોંધી ફરિયાદ

આ ઘટનાથી અજાણ મૃતકના પરિવારને જાણ થતાં તેઓ પર આભ ફાટ્યું હોય તેમ લાગ્યું છે. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોની ફરીયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details