- મોડાસાના સ્મશાન ગૃહમાં અંતિમક્રિયા માટે CNG સંચાલિત ભઠ્ઠીની માગ કરાઇ
- ધારાસભ્યએ કલેક્ટરને રજૂઆત કરી
- અંતિમક્રિયા ઝડપથી પૂરી થાય અને લોકોનો સમય ન બગડે તે માટે કરાઇ માગ
અરવલ્લી : જિલ્લાના મોડાસામાં માજમ નદીના કિનારે મહાજન દ્વારા સંચાલિત સ્મશાન ગૃહ આવેલું છે. આ સ્મશાન મૃતકોને અગ્નિદાહ આપવા માટે વર્ષોથી લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. મોડાસાની વસ્તીમાં વધારો થતા સામાન્ય દિવસોમાં પણ સ્મશાનના ઉપયોગમાં વધારો થયો છે, ત્યારે કોરોનાની મહામારીમાં મૃતકોની સંખ્યા વધતા કેટલીક વખત અંતિમક્રિયા માટે રાહ જોવી પડે છે. આવા સંજોગોમાં જો CNG સંચાલિત ભઠ્ઠીની વ્યવસ્થા કરવામાં આવે તો અંતિમક્રિયા ઝડપથી પૂરી થાય અને લોકોનો સમય ન બગડે તેવુ બાયડના ધારાસભ્ય જશુ પટેલનું માનવુ છે. આ અંગે તેમને જિલ્લા કલેકટરને રજૂઆત પણ કરી છે.
આ પણ વાંચો -કોરોના સંક્રમણ વધતા અરવલ્લીમાં ટેકાના ભાવે ખરીદી બંધ
CNG ભઠ્ઠીની વ્યવસ્થા કરવી તંત્ર માટે સરળ