ગુજરાત

gujarat

ETV Bharat / state

ભિલોડામાં જમીન વિવાદમાં હત્યા કરનારા 6 આરોપીઓની ધરપકડ

અરવલ્લી: જિલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલ(પાલ) ગામે સોમવારે રાત્રે જમીન વિવાદમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે ઘટનાને લઇને પોલીસે 24 કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

By

Published : Nov 29, 2019, 9:44 AM IST

જમીન વિવાદમાં હત્યા કરનાર ૬ આરોપીઓની ધરપકડ
જમીન વિવાદમાં હત્યા કરનાર ૬ આરોપીઓની ધરપકડ

જમીનના સેઢા પરથી પસાર થવા જેવી સામાન્ય બાબતમાં સેઢા પાડોશી પરિવારના 4 સભ્યો અને બે મહિલાઓએ યુવકની હત્યા કરતા ભારે ચકચાર મચી હતી. આ હત્યાના બનાવના પગલે ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જમીન વિવાદમાં હત્યા કરનાર ૬ આરોપીઓની ધરપકડ
કાર્યવાહી હાથ ધર્યાના માત્ર 24 કલાક બાદ જ હત્યામાં સંડોવાયેલા ૩ ઇસમો, ૨ મહિલા અને એક સગીર આરોપીની કુંડોલ(પાલ) ગામેથી ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details