આણંદઃ કૃષિ યુનિવર્સિટી ખાતે જીમખાના મેદાનમાં પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગુજરાત રાજ્યના પ્રધાન જયદ્રથસિંહ પરમાર, નવી દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કૃષિ અને શિક્ષણ વિભાગના ડૉક્ટર આરતી અગ્રવાલ ઉપસ્થિત રહી પદવી ધારકોને દીક્ષાંત પ્રવચન આપ્યું હતું.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા સમારંભમાં યુનિવર્સિટીના કૃર્ષિ પશુપાલન ડેરી પ્રોસેસિંગ ટેકનોલોજી, બાયો એનર્જી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 719 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી તથા 99 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.