ગુજરાત

gujarat

ETV Bharat / state

પળતર પ્રશ્નોને લઈ માજી સૈનિકોએ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - Anand Shastri Cricket Ground

જિલ્લામાં માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની પળતર માગોને સરકાર વિચારણા પર લે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.

anad
પળતર પ્રશ્નોને લઈ માજી સૈનિકોએ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

By

Published : Feb 20, 2020, 11:12 PM IST

આણંદ જિલ્લામાં માજી સૈનિકોએ મોટી સંખ્યામાં એકઠા થઇ આણંદ શાસ્ત્રી ક્રિકેટ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી રેલી યોજી આણંદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે. સૈનિકો દ્વારા તંત્રને અરજ કરવામાં આવી હતી કે, સરકારને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સરકાર તેમને માજી સૈનિકોના પળતર પ્રશ્નો પર માત્ર હયાધારણાઓ આપી ખોટો વિશ્વાસ અપાવે છે જે વ્યાજબી નથી. વારંવાર સૈનિકો સાથે સરકાર અન્યાન કરતી હોવાની તેમણે રજૂઆત કરી હતી.

પળતર પ્રશ્નોને લઈ માજી સૈનિકોએ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
આ અંગે જણાવતા માજી સૈનિકએ જણાવ્યું હતું કે, સરકારને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર નિર્ણયો સરકાર લેતી નથી. દેશની સેવામાં ફરજ બજાવતા સૈનિકોના પડરત પ્રશ્નો અંગે સરકારે વિચારવું જોઈએ અને વારંવાર રજૂઆતો કર્યા પછી પણ જો સરકાર માજી સૈનિકોના પ્રશ્નો યોગ્ય ન્યાય નહીં મળતા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી રજુઆત કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details