- ખંભાતમાં જોખમી ડીપી ખસેડવા લોકોની માગણી
- લાલદરવાજા સાવરકર શોપિંગ સેન્ટરને અડીને ડીપી છે
- રજૂઆતો થતાં કોઇ ધ્યાન અપાતું નથી
- આગનો બનાવ બન્યે જાગશે તંત્ર? લાલદરવાજા સાવરકર શોપિંગ સેન્ટરને અડીને ડીપી છે
ખંભાતઃ ખંભાત લાલ દરવાજા સર્કલ પાસે આવેલ વીર સાવરકર શોપિંગ સેન્ટરને અડીને એમ.જી.વી.સી.એલ દ્વારા ગોઠવવામાં આવતાં શોપિંગ સેન્ટરના સંચાલકો તથા અન્ય જાગૃત નાગરિકો દ્વારા આ અંગે એમજીવીસીએલમાં રજૂઆતો કરી તાત્કાલિક ધોરણે ડીપી ખસેડવા લેખિતમાં જાણ કરાઈ છે.
- 13 દુકાનોને આગનો ભય
જાણ કર્યાને ત્રણ માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ એમ.જી.વી.સી.એલના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ન લેવાતા જાગૃત નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ નવીનભાઈ દેવીપૂજકના જણાવ્યા મુજબ શહેરના લાલ દરવાજા સર્કલ પાસેના મુખ્ય માર્ગ ઉપર વીર સાવરકર શોપિંગ સેન્ટર નગરપાલિકા દ્વારા 1994માં નિર્માણ પામ્યું હતું. જે તે સમયે આ શોપિંગ સેન્ટર પાસે કોઈ પાવર ડીપી ન હતું જ્યારે અત્યારે નિયમ વિરુદ્ધ શોપિંગ સેન્ટરના દાદરને અડીને અને એક નંબરની દુકાનના માત્ર ત્રણ ફૂટના અંતરે પાવર ડીપી ગોઠવી એમજીવીસીએલે મોટું જોખમ ઊભું કર્યું છે. આ શોપિંગ સેન્ટરમાં નીચેના ભાગે 13 દુકાનો આવેલી છે.
- વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ