આણંદ: કરમસદ ગામના વોર્ડ નંબર 7મા આવેલા ઈન્દિરાનગરીના રહિશો દ્વારા બુધવાર રોજ પાણીની સમસ્યાને કારણે આણંદ કલેકટર ઓફિસ ખાતે હોબાળો મચાવી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે, કરમસદ નગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં અવાર નવાર સામાન્ય બાબતે પ્રજાને હેરાન કરવામાં આવે છે.
કરમસદ નગરપાલિકાએ પાણી પુરવઠો રોકાતા સ્થાનિકોમાં રોષ - karamsad municipality stop public water flow
આણંદ જિલ્લામાં સરદાર પટેલના વતન કરમસદ ગામમાં સ્થાનિકો દ્વારા નગરપાલિકાએ પાણી પુરવઠો બંધ કરી દેતા આણંદ કલેકટર ઓફિસ ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. કલેકટરને આવેદનપત્ર આપી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકોએ રજૂઆત કરી હતી.
કરમસદ નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો રોકાતા સ્થાનિકોમાં રોષ
સ્થાનિક રાજકારણનો ભોગ પ્રજાને બનવાનો વારો કરમસદમાં આવ્યાની સ્પષ્ટતા સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. પાણી પુરવઠો બંધ થઈ જવાથી જે નાગરીકો દ્વારા ટેક્સ ભરી દેવામાં આવ્યો છે, તેમની સાથે પણ ગેરવ્યાજબી વ્યવહાર કરવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો.
આણંદ કલેકટર કચેરીએ આવેલા સ્થાનિકો દ્વારા ભારે હોબાળો મચાવી માટલા ફોડી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આ પગલાનો વિરોધ કરવામાં આવ્યો હતો.