- બેન્ડના વ્યવસાય પર કોરોનાની ગંભીર અસર
- કોરોનાની બીજી લહેરમાં કલાકારો દયનિય સ્થિતિમાં
- બંધ ધંધા અને લૉનના દેવાએ કલાકારોને આર્થીક ભીડમાં લીધા
આણંદઃ કોરોના મહામારીએ વેપાર વ્યવસાય પર ગંભીર અસર છોડી છે, બજારોમાં કોરોનાની અસર બાદ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નિયંત્રણના કારણે વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે. ETV BHARAT દ્વારા કોરોનામાં અસરગ્રસ્ત બનેલા વેપારીઓની સ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના મ્યુઝિક બેન્ડના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારોની સ્થિતિ અંગે કલાકારો સાથે વાત કરવામાં આવી હતી. જેમાં તેમની દયનિય સ્થિતિમાં સપડાયેલા હોવાની હકીકત બહાર આવી હતી.
બેન્ડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સરકારી SOP સાથે છુટછાટની માંગ
છેલ્લા 45 વર્ષથી મ્યુઝિક બેન્ડના વ્યવસાય સાથે સંકળાયેલા ભરત તળપદાએ જણાવ્યું હતું કે, માર્ચ 2020માં તેમની પાસે 28 પ્રસંગોના ઓર્ડર હતા. જે કોરોનામાં લાગુ કરાયેલા લોકડાઉન અને બાદમાં સરકાર દ્વારા પ્રસંગોની ઉજવણી માટે લાગુ કરવમાં આવેલી ગાઈડલાઈનના કારણે રદ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં બેન્ડના વ્યવસાય સાથે 80 જેટલા બેન્ડ કામ કરી રહ્યા છે. બધાનું ભેગા મળી વાર્ષિક પાંચ કરોડ જેટલો વ્યવસાય કરતા હશે જે કોરોનામાં છેલ્લા દોઢ વર્ષમાં બિલકુલ શૂન્ય થઈ ગયો છે. તેમણે સ્થિતિની ગંભીરતા વર્ણવતા કહ્યું હતું કે, તેમના ધંધામાં આવેલા આ બદલાવથી જિલ્લામાં લગભગ 2500 થી 3000 પરિવારોએ રોજગારી ગુમાવી છે. જેમાં ઘણા કલાકારો આજે મ્યુઝિકના વ્યવસાય થી અલગ થઈને મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે. તેમણે સરકારને અપીલ કરી હતી કે, રાજ્યમાં બેન્ડના વ્યવસાય સાથે હજારો લોકોની રોજી-રોટી નિર્ભર કરે છે, જેની નોંધ લઈ ચોક્કસ SOP સાથે છુટછાટ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃકોરોનાના કારણે પાંચ હજાર કરોડની ઇન્ડસ્ટ્રી બની શકે છે મૃતપાય