ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ફિયાસ્કો

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત હિત વિરોધી કાયદાઓ રદ કરવાની માગ સાથે દિલ્હીમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના સમર્થનમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જોકે આણંદમાં બજારો અને APMC દ્વારા બંધને કોઈ જ પ્રકારનું સમર્થન આપવામાં આવ્યું નહતું. કોંગ્રેસ દ્વારા આણંદના ગામડી પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ઓવરબ્રિજ પાસે વાહનો અટકાવી દેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વિરોધ કરવા પહોંચેલા માત્ર ગણતરીના કાર્યકરોને પોલીસ દ્વારા અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

By

Published : Dec 8, 2020, 9:22 PM IST

આણંદ
આણંદ

  • કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આપ્યું હતું ભારત બંધનું એલાન
  • આણંદ જિલ્લામાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ફિયાસ્કો
  • પોલીસે કરી કોંગ્રેસી કાર્યકરોની અટકાયત
    કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ફિયાસ્કો

આણંદ: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત હિત વિરોધી કાયદાઓ રદ કરવાની માગ સાથે દિલ્હીમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના સમર્થનમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જોકે આણંદમાં બજારો અને APMC દ્વારા બંધને કોઈ જ પ્રકારનું સમર્થન આપવામાં આવ્યું નહતું. કોંગ્રેસ દ્વારા આણંદના ગામડી પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ઓવરબ્રિજ પાસે વાહનો અટકાવી દેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વિરોધ કરવા પહોંચેલા માત્ર ગણતરીના કાર્યકરોને પોલીસ દ્વારા અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ફિયાસ્કો

કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનો ફિયાસ્કો

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલને દેશમાં રાજકીય રૂપ ધારણ કર્યું છે. ખેડૂત આંદોલનમાં જાહેર કરાયેલા ભરત બંધને રાજકીય પક્ષો દ્વારા સમર્થન જાહેર કરી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લામાં ગામડી બ્રિજ પાસે પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નેશનલ હાઇવે બંધ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે સમયસૂચકતા દાખવી કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનો ફિયાસ્કો કર્યો હતો.

કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ફિયાસ્કો

ઓછા કાર્યકરો દ્વારા નેશનલ હાઈવે બંધ કરવાનો પ્રયાસ

આણંદ જિલ્લો શરૂઆતથી જ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જ્યારે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતા ધરાવતા આણંદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ભારત બંધના સમર્થનમાં રસ્તા રોકો આંદોલન કરવા નીકળેલા પાંચ કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા. આણંદ જિલ્લામાં કોંગ્રેસની વાસ્તવિક પરિસ્થિતિ વર્ણવતું ચિત્ર આજે આણંદના ગામડી ઓવરબ્રીજ પાસે જોવા મળ્યું હતું. આણંદ જિલ્લામાં આમ તો પાંચ ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના છે. સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસ પોતાની વગ ધરાવે છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા ભરતસિંહ સોલંકીનો આ જિલ્લો છે. પરંતુ જિલ્લામાં જેટલા કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ છે તેનાથી પણ ઓછા કાર્યકરો દ્વારા આજે ભારત બંધના સમર્થનમાં નેશનલ હાઈવે બંધ કરવાનો પ્રયાસ આણંદના ગામડી ઓવરબ્રિજ પાસે કરવામાં આવ્યો હતો. આ જોતા આણંદ જિલ્લામાં કોંગ્રેસ પાસે કાર્યકરોની અછત હોય તેવી ચર્ચાએ શહેરમાં વેગ પકડ્યો હતો. કોમગ્રેસ દ્વારા ફક્ત દેખાડા પૂરતો વિરોધ કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો ગામડી ઓવરબ્રિજ પાસે સર્જાયા હતા.

કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ફિયાસ્કો

ABOUT THE AUTHOR

...view details