આણંદઃશહેર આજે વિશ્વ સ્તરે ખ્યાતિ ધરાવતું શહેર બન્યું છે. આ શહેરની સ્થાપના મૂળ ગોસાઈ સમાજના સાધુઓ અને સાન્યાસી ઓ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવામળી રહ્યું છે, તેવામાં આણંદ શહેરમાં આવેલ શિવાલયો શહેર જેટલોજ જૂનો ઇતિહાસ ધરાવે છે.તેમાં પણ આણંદ શહેર માં આવેલ જાગનાથ મહાદેવ મંદિર ખૂબ પૌરાણિક માનવામાં આવે છે. કહેવાય છે કે અહીંના મહંત આનન્દપુરી મહારાજના નામ પરથી આણંદ શહેરનું નામ પડ્યું હતું. મહંતોના મતે આનંદપુરી મહારાજ દ્વારા જાગનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી અને તેને આજે ઘણા વર્ષો વીતી ગયા સમય બદલાતા આજે આ મંદિર હજારો શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્રબન્યું છે.
સત્તા,વહીવટ અને મિલકતની ખેંચતાણનો ચાલતો વિવાદ
શહેરમાં આવેલ પ્રાચીન મંદિરમાં ટ્રસ્ટીઓ અને સાધુઓ વચ્ચે સત્તા,વહીવટ અને મિલકતની ખેંચતાણનો ચાલતો વિવાદ ચરણસીમા એ પહોંચ્યો છે. જેના પરિણામે આજે જાગનાથ મહાદેવને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. આ બને જૂથો વચ્ચે ચાલતો વિવાદ ટ્રસ્ટના આર્થિક હિસાબી ઘુચવાળાને કારણે છેલ્લા 3 લાઈટ બિલ ન ભરાતા અંતે GEB દ્વારા મંદિરના મીટરમાં વીજળીનું જોડાણ દૂર કરવામાં આવ્યું છે. સાથે જ ગેસનું પણ જોડાણને બિલ બાકી પડતા નાણાના કારણે સીલ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે આજે મંદિર આશ્રમમાં રહેતા અને વિચરણ દરમ્યાન મંદિના આશરે આવેલ પ્રવાસી સાધુઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃકચ્છના ખેડૂતે સુકા પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું