આણંદઃ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ મંડળ દ્વારા 800થી વધુ મંડળીઓમાં 1700થી વધુ સ્વયંસેવકો દ્વારા કોરોના વાયરસ અને તેના સંક્રમણથી બચવા રાખવા જેવી સાવચેતીઓ માટે જાગૃતતા લાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આણંદમાં સ્વામી વિવેકાનંદ મંડળએ ફેલાવી 1,77,000 વડીલોમાં જાગૃતતા - આણંદમાં કોરોના યોદ્ધાઓ
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ માટે જાગૃતતા લાવવા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. જેમાં રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગના અંતર્ગત આવતો સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા મંડળ નોંધનીય કામગીરી કરી રહ્યું છે.
તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં વયસ્ક નાગરિકોને ફોન પર સંપર્ક કરી જાણકારી આપવામાં આવતી હોય છે. પરંતુ તેમની જાણકારી મુજબ ફક્ત આણંદ જીલ્લમાં જ ઘરે ઘરે જઈ યોજનાઓ દ્વારા નાગરિકોને જાગૃત કરવામાં આવે છે. જેથી આણંદ જિલ્લો અને તેના નાગરિકો કોરોના વાયરસ અને તેના સંક્રમણ વિશે વધુ જાગૃત બને તે દિશામાં સફળ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ચિરાગભાઈના જણાવ્યા અનુસાર સરકાર અને સમાજ વચ્ચે સુમેળ જળવાઈ રહે તથા સમાજમાં સરકારી લાભ પહોંચી છે, કે કેમ તે અંગે ગ્રામ્ય કક્ષાએ જાણકારી મેળવવા તથા ગ્રામ્ય કક્ષાની સમસ્યાઓ અને સરકાર સુધી પહોંચાડવા આ મંડળના સ્વયંસેવકો કામ કરતા હોય છે. જેને કોરોના મહામારી દરમિયાન આણંદ જિલ્લામાં કલેકટર દ્વારા જનજાગૃતિના અતિ મહત્વના કામ સોંપવામાં આવતા સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા મંડળના સ્વયંસેવકો કોરોના યોદ્ધા તરીકે ફરજ નિભાવી રહ્યા છે.