આણંદમાં આવેલા ન્યુ વિદ્યાનગર ખાતે ADIT કોલેજમાં ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખું બાઈક વિકસાવવામાં આવ્યું છે, આ બાઈકમાં એક બેટરી રાખવામાં આવી છે અને આ બેટરી ચાર્જ કરવાનો ખર્ચ માત્ર સાત રૂપિયા જ થાય છે.
માત્ર 7 રૂપિયામાં 80 કિમી દોડતું બાઈક સાત રૂપિયાના નજીવા ખર્ચમાં આ બાઈક 70 થી 80 કિલોમીટર સુધીની સફર કરાવી શકે છે. તે પણ વાયુ પ્રદુષણ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યા વગર. આ બાઈક પ્રકૃતિના રક્ષણ માટે પણ મદદરૂપ થાય છે.
માત્ર 7 રૂપિયામાં 80 કિમી ચાલતું 'આશ્રેય' બાઈક વિદ્યાર્થીઓ દ્વારા આ બાઇકનું નામ આશ્રેય રાખવામાં આવ્યું છે, જેનો અર્થ સમજાવતા વિદ્યાર્થીઓએ કહ્યુ હતું કે, કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક મોબિલિટી અને પ્રદૂષણ મુક્ત ભારતના સપનાને સાકાર કરવાનો સંકલ્પ કર્યો છે. જેને આશ્રય પણ કહેવાય છે, જેથી આ બાઇકનું નામ તેમણે 'આશ્રેય' રાખ્યું છે.
આણંદ-વિદ્યાનગર ની ADIT કોલેજના વિદ્યાર્થીઓએ વિકસાવ્યું અનોખું બાઇક આવનાર સમયમાં જ્યારે પેટ્રોલિયમ પેદાશોની અછત બજારમાં જોવા મળશે, ત્યારે ઈલેક્ટ્રોનિક સાધનોની માગ ખુબ વધશે, સાથે સાથે વધતી વસ્તી ગીચતાના કારણે મોટા સાધનો લઈને રસ્તા પર નીકળવું તે માથાનો દુખાવો સાબિત થશે અને સમસ્યા ઊભી કરતું પરિબળ બની રહેશે.
તમિલનાડુમાં યોજાનાર ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ડિઝાઇનિંગ કોમ્પીટીશનમાં લેશે ભાગ તેને પહોંચી વળવા આ પ્રકારનાં સાધનો તરફ ગ્રાહકોને વળવા ફરજ પડી છે. જેથી આવનાર પેઢીનો સમય પણ બચે અને આર્થિક લાભ પણ મળે. આ બન્ને હેતુ આ સાધન સાર્થક કરે છે.
માત્ર 7 રૂપિયામાં 80 કિમી ચાલતું 'આશ્રેય' બાઈક
આ બાઈક આવનાર 27 તારીખના રોજ તમિલનાડુમાં યોજાનાર સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ દ્વારા આયોજિત ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ડિઝાઇનિંગ કોમ્પીટીશનમાં મુકાશે. ઇવેન્ટના હેડ દ્વારા આ બાઇકનું ટેકનિકલ ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રીક ટુ વિલર બાઈકની અગત્યતા વિશે માહિતી આપવામાં આવી હતી.