ગુજરાત

gujarat

By

Published : Jun 14, 2023, 12:04 PM IST

ETV Bharat / state

Cyclone Biparjoy: રાજુલા-જાફરાબાદ તાલુકાના ગામોના 2000 લોકોનું સ્થળાંતર

વાવાઝોડાના કારણે ગુજરાતના મોટા ભાગના દરિયમાં કરંટ જોવા મળી રહી છે. ત્યારે રાજુલા જાફરાબાદ તાલુકાના દરિયાકિનારાના ગામોના બે હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રજાના દિવસ દરમિયાન શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફે હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા માટે સૂચન કરવામાં આવ્યા હતા. તેમજ બાળકો વાવાઝોડામાં કોઈ સમસ્યા ઉદભવે નહી તેવા હેતુથી નિર્ણય લેવામાં આવેલો છે.

રાજુલા જાફરાબાદ તાલુકાના દરિયાકિનારાના ગામોના બે હજાર લોકોનું કરાયું સ્થળાંતર
રાજુલા જાફરાબાદ તાલુકાના દરિયાકિનારાના ગામોના બે હજાર લોકોનું કરાયું સ્થળાંતર

Cyclone Biparjoy રાજુલા-જાફરાબાદ તાલુકાના ગામોના 2000 લોકોનું સ્થળાંતર

અમરેલી: જાફરાબાદ અને રાજુલા તાલુકા ના ખેરા ગામ જે ગામ છે એ સમુદ્ર કિનારે વસેલું છે. અમરેલી જિલ્લાનુ છેલ્લુ ગામ છે.આ ખેરા ગામના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો આમ અમરેલી જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ભારે પવન ફુંકાય રહ્યો છે. વાવાજોડાની અસરના પગલે અમરેલી જિલ્લામાં મામલતદાર તલાટી મંત્રી તેમજ સરપંચોની સતત સંપર્કમાં રહીને તંત્ર દરિયકીનારના આજુબાજુના ગામોમાં જે નજીકના કાચા મકાનોમાં રહેતા લોકોને તંત્ર સજજ બની કામગીરી હાથ ધરવામાં આવી હતી .દરિયા કાંઠાના જોખમી સ્થળે વસતા 2000 થી વધુ લોકોને સલમાત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.

હાજર રહેવા માટે સૂચન:વાવાઝોડામાં વાતાવરણમાં પલટો આવવાથી વરસાદના ઝાપટાં પડવાના શરૂ થયા હતા. દરિયાકાંઠાના વિસ્તારમાં આજે પણ તેજ ગતિથી પવન ફુંકાયો હતો. જાફરાબાદ તથા આસપાસના વિસ્તારમાં દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો હતો અમરેલી વિસ્તારના ખેડૂતોને આવનારા ત્રણ-ચાર દિવસમાં વાવણી લાયક વરસાદ વરસી જવાની આશા છે. જિલ્લામાં બીપોરજોય. વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને બે દિવસ માટે જાહેર રજા રાખવા નિર્ણય લેવામાં આવી રહ્યો છે.જિલ્લાની પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી. રજાના દિવસ દરમિયાન શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફે હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા માટે સૂચન કરવામાં આવ્યા હતા. તેમજ બાળકો વાવાઝોડામાં કોઈ સમસ્યા ઉદભવે નહી તેવા હેતુથી નિર્ણય લેવામાં આવેલો છે.

ખસેડવામાં આવ્યા: વાવાજોડાને લઇ કલેક્ટર અજય દહીયાની પ્રતિક્રિયા આપી હતી.તારીખ 14 અને 15 તારીખ વાવાજોડાની અસર થશે 50 થી 60ની ઝડપે પવન ફૂંકાશે તેમજ હળવાથી લઈ ભારે વરસાદ પાડવાની આગાહી વીજળીપણ પડી શકે છે. લોકોએ સુરક્ષિત રહેવા જિલ્લા કલેકટર દ્વારા દરિયા કાંઠે આવેલ રાજુલા અને જાફરાબાદ તાલુકામાં અલગ અલગ નોડલ ઓફિસરોની નિમણુંક કરાય વધુમાં અધિક કલેક્ટર દ્વારા અવર જવર દરિયા કાંઠા ઉપર સુપરવિઝન કરશે. રાજુલા જાફરાબાદ દરિયા કાંઠાના વિસ્તારમાં કાચા મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાઓમાં ખસેડવામાં આવ્યા હતા.

  1. Cyclone Biparjoy: દ્વારકા ખાતે ગોમતી ઘાટ પર આવેલ શ્રીકૃષ્ણ મંદિરમાં ઘુસ્યા દરિયાના પાણી
  2. Cyclone Biparjoy Updates: તારીખ 18 જૂન સુધી રીવરફ્રન્ટ રહેશે બંધ, AMCનો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details