ખારી ગામથી ખીજડિયા હાડાળા અને આજુ બાજુ ગામના વિસ્તારોના રસ્તાઓ ખુબ જ બિસ્માર હાલતમાં છે. તો પણ ગામના લોકોને આ રસ્તા પરથી વારંવાર પસાર થવું પડે છે. અતિ બિસ્માર હાલતમાં રસ્તો હોવાથી ગ્રામજનોને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે અને એમ્બ્યુલન્સમાં બિમાર વ્યક્તિ સમયસર હોસ્પિટલ પહોંચી શકતી નથી. તંત્ર દ્વારા 2015ના પુર બાદ આ રસ્તો બનાવામાં જ આવ્યો નથી જેથી લોકોને ભારે મુશ્કેલી વેઠવવાનો વખત આવ્યો છે.
અમરેલીના ગામડાઓના રસ્તા અતિ બિસ્માર હાલતમાં, સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો - GUjarati news
અમરેલીઃ જિલ્લાના ખારી ગામનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ ગામની બાજુમાં 2015 બાદ કોઈ સમાર કામ કે રસ્તો બન્યો જ નથી. તેથી ગ્રામજનોને અવર-જવર કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે.
![અમરેલીના ગામડાઓના રસ્તા અતિ બિસ્માર હાલતમાં, સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3837060-thumbnail-3x2-dhsfhdsj.jpg)
અમરેલી
ખારી ગામનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં, સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા
ગામના લોકોનો આ રસ્તો કાયમી હોવાથી દિવસમાં ઘણી વખત પસાર થવાનું હોય છે, પરંતુ આ રસ્તા પર નીકળતા લોકોને પેટના દુઃખાવા પણ થાય છે. તેમજ એક્સિડન્ટના બનાવમાં એકનું મૃત્યુ પણ થયું છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.