અમરેલી:સમગ્ર અમરેલીમાં રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા અમરેલી શહેરના જાહેર માર્ગો પર સુરક્ષા સાથે ફરી હતી. જેમાં મુસ્લિમ ભાઈઓએ પણ આસ્થા સાથે ભાગ લીધો હતો. જેમ જેમ યાત્રા આગળ વધી રહી હતી. એમ સ્થાનિકો દર્શન કરવા માટે આવતા હતા. જોકે, કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસે પુરતો પોલીસ બંદોબસ્ત લાગુ કર્યો હતો.
આ પણ વાંચો: Ramadan 2023 : રમઝાનના પર્વને લઈને બજારમાં રોનક, પરતું વેપારીઓનો માહોલ નરમ
શોભાયાત્રા કરી ઉજવણી: આજ રોજ સમગ્ર ભારતમાં જ્યારે રામ નવમી તહેવારની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે આ તહેવાર ચૈત્રી નવરાત્રિના ના નવમા દિવસે ઉજવામાં આવતો તહેવાર એટલે રામ નવમી પૌરાણિક કથાઓ અનુસાર વિષ્ણુભગવાન ના અવતાર રામ સ્વરૂપે લીધો હતો. અમરેલી જિલ્લાભરમાં શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી. ઠેર ઠેર લોકો એ રામનવમી ની ઉજવણી કરવામાં આવેલ આમ રામ નવમી તહેવાર નિમિતે વડીયા શહેરમાં અલગ દ્ર્શ્યો જોવા મળ્યા હતા.
કોમી એકતાના દર્શન: જેમાં હિન્દૂ મુસ્લિમ સાથે મળીને તહેવારની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા એકતાનુ પ્રતીક જોવા મળી આવ્યું હતું. વડીયા શહેરની મુખ્ય બજારોમાં હિન્દૂ મુસ્લિમ યુવાનોએ યોજી બાઇક રેલી મુખ્ય માર્ગો પર જય શ્રીરામના નારા સાથે હિન્દૂ મુસ્લિમ યુવાનોએ યોજી બાઇક રેલી માં જોડાયા હતા. ગાંધીચોક રામજી મંદિરથી સમગ્ર શહેરમાં યોજી બાઇક રેલીમાં જોડાઈ હતી. આ રેલીમાં રામનામના પડઘા પડતા હતા. સૌ રામભક્તોએ આ રેલીમાં આસ્થા ભેર ભાગ લીધો હતો. દેશ અને દુનિયામાં અધર્મનો નાશ કરવા અને સમાજમાં એક સત્યના અસ્તિત્વને સાબિત કરવા માટે રામજન્મ થયો હતો.