અમરેલીલ : અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની, નર્મદા સિમેન્ટ, સીંટેક્ષ કંપની, સ્વાન એનર્જી સહિતની કંપનીઓ લોકડાઉન જાહેર કરાઇ હતી. જેના પગલે પીપાવાવ પોર્ટ બંધ નહિ થતા લોકોમાં નારાજગી સામે આવી હતી.
સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં પીપાવાવ-પોર્ટ કાર્યરત - UltraTech Cement Company
સમગ્ર દેશ કોરોના જેવી મહામારી સામે લડવા એક થઈ લોકડાઉનનું પાલન કરી રહ્યો છે. તેવામાં પીપાવાવ પોર્ટ ચાલુ રહેતા રાજુલા તાલુકાના લોકોમાં નારાજગી જોવા મળી હતી. રાજુલા-જાફરાબાદ પંથકની પીપાવાવ પોર્ટને બાદ કરતા તમામ ઈન્ડરસ્ટ્રી કંપનીઓ બંધ કરાઇ છે.
સમગ્ર દેશમાં લોક ડાઉન હોવાછતાં પીપાવાવ-પોર્ટ કાર્યરત
પીપાવાવ પોર્ટમાં લોકડાઉન જાહેર કરવા લેખિત રજૂઆત કરાઇ હતી. પીપાવાવ મઝદૂર સંઘ અને જિલ્લા મઝદૂર સંઘ દ્વારા કલેક્ટર અને પીપાવાવ મરીન પોલીસને લેખીત ફરિયાદ આપી હતી કે, પીપાવાવ પોર્ટમાં દેશ વિદેશના પરપ્રાંતિય લોકો વ્યાપક વસવાટ કરે છે. તો તેની તપાસ કરવા પત્રમાં રજૂઆત કરાઈ હતી.