ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપના નેતાઓ પોતાના નિવેદનમાં સંયમ રાખી શકતા નથી :પરેશ ધાનાણી - Jitu Vaghani

અમરેલીઃ લોકસભાના રિઝલ્ટને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે લોકસભાના પોલ પર ગુજરાતમાં ટ્વિટ વોર શરૂ થયો છે. પરેશ ધાનાણીએ ભાજપ પર ટ્વિટ કર્યુ હતું, તેના વળતા જવાબમાં CM રૂપાણીએ પણ પોતાનો મત રાખ્યો હતો. ત્યારબાદ જીતુ વાઘાણીએ પણ આ મુદ્દા પર ટ્વિટ કર્યુ હતું. લોકસભા ચૂંટણી પરિણામને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આ ટ્વિટર વોર કેવા પરિણામ લાવશે તે જોવાનું રહ્યું.

પરેશ ધાનાણી

By

Published : May 22, 2019, 7:45 PM IST

લોકસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે, ત્યારે ગુજરાતની હાઈ વોલ્ટેજ ગણાતી સીટ એટલે અમરેલીથી વિપક્ષ નેતા મેદાને છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સોશિયલ મીડિયામાં નેતાઓના નિવેદનો ચાલુ છે. ત્યારે પરેશ ધાનાણીના ટ્વીટ બાદ CMએ કહ્યું કે, નેતા વિપક્ષે પણ મૂર્ખ જેવા શબ્દો ન વાપરવા જોઈએ તો તેમણે જીતુ વાઘાણીએ કરેલા નિવેદનને પણ અયોગ્ય ગણાવ્યું હતું.

પરેશ ધાનાણીનુ નિવેદન

આ મામલે ધાનાણીએ કહ્યું કે, ભાજપના નેતાઓ પોતાના નિવેદન સંયમ નથી રાખી શકતા. તો પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો અને સાથે ગુજરાત અને દેશમાં આવતીકાલે કોંગ્રેસ તરફી પરિણામ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details