અમરેલીમાં રસ્તા પર રેઢિયાળ પશુઓથી રાહદારીઓ પરેશાન - રેઢિયાળ પશુ
અમરેલી: શહેરમાં ઘણા રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. હવે અમરેલી વાસીઓને નવી મુશ્કેલીમાં વધારો કરવાની શરૂઆત નગર પાલિકા દ્વારા કરાઈ રહી છે. રસ્તાઓ પર રખડતા પશુઓથી રાહદારીઓ પરેશાન થઇ ગયા છે.
amreli
અમરેલીમાં સતત કાગળો ઉપર થતો વિકાસ માત્ર નજીવા વરસાદ બાદ વરસાદથી રસ્તાઓ તો બિસ્માર હતા. હાલ રસ્તાઓ પર રેઢિયાળ પશુનો જમાવડો જોવા મળે છે. રસ્તાઓ પર જમાવડો કરવાના કારણે લોકોને વાહનો ચલાવવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ થોડા સમય પહેલા ગાય અને આખલાના કારણે એક વ્યક્તિનું ભોગ પણ લેવાયો હતો ત્યારે તંત્ર આ બાબતે પગલા લેવાય તેવી આપીલ કરવામાં આવી હતી.