અમરેલી : રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓને કેટલાક પ્રમાણમાં નુકસાન થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ખેત જણસો પલળી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. કમોસમી વરસાદના કારણે પાક પર પાણી ફરી વળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ત્યારે ગુજરાતનું એકમાત્ર અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો પાક સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. અમરેલીમાં ધોધમાર કમોસમી વરસાદ વરસવા છતાં એક કિલો પણ ખેડૂતોની જણસ પલળી નથી.
યાર્ડમાં કેમ ખેડૂતોની પાક નથી પલળ્યો : કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના અનેક માર્કેટિંગ યાર્ડમાં લાખો રૂપિયાની ખેત જણસો પલળી ગઈ છે. ત્યારે આવા સંજોગોમાં અમરેલી માર્કેટિંગ યાર્ડ ગુજરાતમાં કદાચ એકમાત્ર એવુ માર્કેટિંગ યાર્ડ છે, જ્યાં અત્યાર સુધીમાં ખેડૂતોની એક કિલો પણ જણસ પલળી નથી. અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસો સાચવવા માટેની જે અદ્યતન સુવિધાઓ છે તેના કારણે ખેડૂતો નિશ્ચિત જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો :Unseasonal Rain : સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની સવારીથી વાતાવરણ ઠંડુ, પરંતુ ખેડૂતોને ભીતિ