ગુજરાત

gujarat

By

Published : Dec 7, 2019, 8:47 PM IST

ETV Bharat / state

માનવભક્ષી દિપડાને લઈને વનવિભાગ પણ આવ્યું એક્શનમાં, દીપડાને ઠાર કરવા હાથ ધરી રણનીતિ

અમરેલીઃ છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં દીપડાએ માનવ વધ જેવો ગંભીર કહી શકાય તેવો ગુન્હો કર્યો હતો. જેને વન વિભાગે પણ હવે પુષ્ટિ આપી દીધી છે, ત્યારે માનવ ભક્ષી બનેલા દીપડાને ઠાર મારવા માટે વનવિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. શનિવારની રાત્રીના સમયે ઓપરેશન દીપડો વન વિભાગ શરુ કરવા જઈ રહ્યું છે.

સૌ. કોન્સેપ્ટ ફોટો
સૌ. કોન્સેપ્ટ ફોટો

છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં માનવભક્ષી દીપડાએ હાહાકાર મચાવ્યો છે જેને લઇને ખેડૂતો અને ગામ લોકો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા હતા ત્યારે આ માનવભક્ષી દીપડો ફરી એક વખત મોટા મુંજીયાસર ગામમાં વહેલી સવારે ત્રાટક્યો હતો અને ખેત મજુર ને દબોચીને તેનો શિકાર કર્યો હતો જેને લઇને ખેડૂતોમાં પણ હવે ભારે રોષ જોવા મળતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ તાબડતોબ અમરેલી ધસી આવ્યા હતા અને જિલ્લા કલેકટર કચેરીમાં તાકીદની બેઠક બોલાવી ને આ દીપડાને ઠાર કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

માનવભક્ષી દિપડાને લઈને વનવિભાગ પણ આવ્યું એક્શનમાં
વનવિભાગના મુખ્યમંત્રી રક્ષક સૌરાષ્ટ્ર વિભાગ આર એમ પરમારે જિલ્લા કલેકટર આયુષ ઓક ની સાથે સૌરાષ્ટ્રનાં વનવિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેમાં માનવ ભક્ષી બનેલા દિપડાને ઠાર કરવા માટે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો આજ રાત્રે થી ઓપરેશન દીપડો બગસરા તાલુકામાં હાથ ધરવામાં આવશે જેમાં વનવિભાગના ચુનંદા શાર્પ શૂટરો ભાગ લઈને આ દીપડાને ઠાર કરવાની પ્રક્રિયા હાથ ધરશે સમગ્ર ઓપરેશન ને લઇને ખેડૂતો તેમજ ગામલોકોને હાજરીની વચ્ચે કોઈ પણ અડચણો ઊભી ન થાય તે માટે જિલ્લા પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે તેમ છતાં દીપડાને દરેક હલચલ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા તેમજ દિપડાના સંભવિત વિસ્તારોમાં અંદાજિત ૩૦ કરતાં વધુ પાંજરા ગોઠવીને દિપડાને પકડવાની કવાયત આજ રાત્રિથી શરૂ કરવામાં આવશે જેમાં વનવિભાગને સફળતા મળશે તેવું વનવિભાગના અધિકારીઓ પણ જણાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details