- અમરેલીના લાઠી શહેરનો ચોંકાવનારો કિસ્સો
- 17 અને 19 વર્ષીય કિશોરીઓએ કરી આત્મહત્યા
- પિતાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપતા કરી આત્મહત્યા
અમરેલી: લાઠી શહેરના મહાવીર નગરમાં રહેતા રાજુ દેસભાઈ બોરીચાએ પોતાની દિકરીઓ દીકરીઓ પાયલ રાજુભાઈ બોરીચા (ઉં.વ.19) અને કિરણ રાજુભાઈ બોરીચા (ઉ.વ.17) ને જમવાનું બનાવવાની બાબતે ઠપકો આપ્યો હતો. પોતાના પિતા દ્વારા ઠપકો આપતા બન્ને દિકરીઓએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવાદોરી ટુંકાવી દીધી હતી. બનાવની જાણ થતા લાઠી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બન્ને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.