ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર, તાલુકા કક્ષાએ સ્ક્વૉડની રચના કરાઇ - કોરોનામુક્ત જિલ્લા અમરેલીમાં પોઝિટિવ કેસ

અમરેલી જિલ્લો હજી સુધી કોરોના મુક્ત હતો. તેમાં પણ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. જેને કારણે હોમ કવોરેન્ટાઈન થયેલા લોકો પર ખાસ નજર રખાશે. સંક્રમણ અટકાવવા તાલુકા કક્ષાએ સ્ક્વૉડની રચના કરવામાં આવી છે. જિલ્લાના દરેક ગામમાં જઇ કવોરેન્ટાઈનના નિયમો લોકો પાળી રહ્યા છે કે નહી તે અંગેની તપાસ હાથ ઘરવામાં આવશે. ૨૪ કલાક કન્ટ્રોલરૂમ કાર્યરત રહેશે.

અમરેલીમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં
અમરેલીમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં

By

Published : May 13, 2020, 5:15 PM IST

અમરેલી: ગુજરાતના એકમાત્ર કોરોનામુક્ત જિલ્લા અમરેલીમાં બુધવારે કોરોનાએ પ્રવેશ કરતા તંત્ર દ્વારા હોમ કવોરેન્ટાઈન થયેલા લોકોના પરિવારજનો સહિત સમગ્ર ઘરને કવોરેન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેથી સંક્રમણ ફેલાય નહીં.

આ માટે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ત્રિસ્તરીય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેના થકી તંત્ર સતત હોમ કવોરેન્ટાઈન થયેલા લોકો પર નજર રાખી શકે. આ બાબતે જિલ્લા કલેક્ટર આયુષ ઓક એ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હોમ કવોરેન્ટાઈનના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે તંત્ર દ્વારા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયતને હોમ કવોરેન્ટાઈન વ્યક્તિઓ પર નજર રાખવા તેમજ પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

અમરેલીમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં

નગરપાલિકા કક્ષાએ વોર્ડવાઇઝ એક સમિતિ બનાવવામાં આવી છે. કોઈ હોમ કવોરેન્ટાઈન વ્યક્તિ નિયમનો ભંગ ન કરે તેની જવાબદારી આ સમિતિની રહેશે. તેમજ તાલુકા કક્ષાએ પાંચ વ્યક્તિઓની એક સ્ક્વોડ બનાવવામાં આવી છે. જે ગ્રામ્યકક્ષાએ વિઝીટ કરી અને હોમ કવોરેન્ટાઈનનો ભંગ કરનાર વ્યક્તિને શોધી કાઢશે.

ઉપરાંત જિલ્લા કક્ષાએ ૨૪ કલાક કાર્યરત કંટ્રોલરૂમ પણ ઊભું કરવામાં આવ્યું છે. આ કંટ્રોલરૂમ દ્વારા કવોરેન્ટાઈન થયેલા વ્યક્તિઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ જો કવોરેન્ટાઈનનો ભંગ થતો હોય તો આ સમિતિ દ્વારા મળેલી માહિતી કોલ સેન્ટર દ્વારા તાલુકા કક્ષાએ રચેલી સ્ક્વોડને આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details