ગુજરાત

gujarat

આતંકી સંગઠન સાથે જોડાયેલા યુસુફ અબ્દુલ વહાબની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ

By

Published : Sep 23, 2019, 2:57 PM IST

અમદાવાદ: ગુજરાતમાં 2002માં થયેલા ગોધરાકાંડ બાદ બદલો લેવાની ભાવનાથી રચવામાં આવેલા જેહાદી ષડ્યંત્રના નામે આતંકીઓને આર્થિક મદદ કરનારા અને ષડયંત્રમાં સામેલ તથા આતંકી પ્રવૃતિઓ સાથે જોડાયેલા યુસુફ અબ્દુલ વહાબ શેખને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

યુસુફ અબ્દુલ વહાબની એરપોર્ટ પરથી ધરપકડ

વહાબ શેખ પાકિસ્તાનના આતંકી સંગઠનોની મદદ કરતો હતો, જેમાં આતંકીઓને આર્થિક સહાય, યુવકોને જેહાદમાં જોડવા તથા આતંકી પ્રવૃતિઓ કરવા જેવી અનેક પ્રવૃતિઓ કરતો હતો. 2002 માં ગોધરાકાંડ બાદ થયેલા જેહાદી પ્રવૃતિઓ માટે 82 લોકો વિરુદ્ધ ગુના નોંધાયા હતા. જેમાંથી 12થી વધારે આરોપીઓ ફરાર હતા, ત્યારે કેટલાક આરોપીઓ સાઉદી અરબી પણ ભાગી ગયા હતા .આતંકી પ્રવૃત્તિ ઉપરાંત હરેન પંડ્યા, જયદીપ પટેલ પર હુમલામાં પણ આ વહાબ સામેલ હોવાની શક્યતા છે .હરેન પંડ્યાની હત્યા બાદ વીએચપીના નેતા જયદીપ પટેલ અને જગદીશ તિવારીને ગોળી મારી હતી, પરંતુ જીવલેણ હુમલો થવા છતાં બંનેના જીવ બચી ગયા હતા.

યુસુફ અબ્દુલ વહાબની એરપોર્ટ પરથી ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ સંખ્યાબંધ લોકોને બદલો લેવાની ભાવના સાથે જેહાદના નામે પાકિસ્તાનમાં ચાલતા આતંકી કેમ્પમાં મોકલવા માટે ભારતમાં સ્લીપર સેલની મદદ લેવામાં આવતી હતી. જેમાં અબ્દુલ વહાબ આતંકીઓને મદદ પણ કરતો હતો..અમદાવાદના રતનપોળના આંગડિયા મારફતે આતંકીઓને આર્થિક મદદ કરવામાં આવતી હતી. 2003થી વહાબ સાઉદી અરબ નાસી ગયો હતો.2003 બાદ 2012માં વધુ એક વખત ભારત આવ્યો હતો, અહીં તે ફરી વાર પોતાની પત્નીને મળવા ભારત આવ્યો હતો. તે દરમિયાન ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશન દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. હમણાં વહાબ ગારમેન્ટનો અને ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. સાઉદીમાં કોઈ આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે કે, કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details