આતંકી સંગઠન સાથે જોડાયેલા યુસુફ અબ્દુલ વહાબની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ
અમદાવાદ: ગુજરાતમાં 2002માં થયેલા ગોધરાકાંડ બાદ બદલો લેવાની ભાવનાથી રચવામાં આવેલા જેહાદી ષડ્યંત્રના નામે આતંકીઓને આર્થિક મદદ કરનારા અને ષડયંત્રમાં સામેલ તથા આતંકી પ્રવૃતિઓ સાથે જોડાયેલા યુસુફ અબ્દુલ વહાબ શેખને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે.
![આતંકી સંગઠન સાથે જોડાયેલા યુસુફ અબ્દુલ વહાબની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4527164-thumbnail-3x2-l.jpg)
વહાબ શેખ પાકિસ્તાનના આતંકી સંગઠનોની મદદ કરતો હતો, જેમાં આતંકીઓને આર્થિક સહાય, યુવકોને જેહાદમાં જોડવા તથા આતંકી પ્રવૃતિઓ કરવા જેવી અનેક પ્રવૃતિઓ કરતો હતો. 2002 માં ગોધરાકાંડ બાદ થયેલા જેહાદી પ્રવૃતિઓ માટે 82 લોકો વિરુદ્ધ ગુના નોંધાયા હતા. જેમાંથી 12થી વધારે આરોપીઓ ફરાર હતા, ત્યારે કેટલાક આરોપીઓ સાઉદી અરબી પણ ભાગી ગયા હતા .આતંકી પ્રવૃત્તિ ઉપરાંત હરેન પંડ્યા, જયદીપ પટેલ પર હુમલામાં પણ આ વહાબ સામેલ હોવાની શક્યતા છે .હરેન પંડ્યાની હત્યા બાદ વીએચપીના નેતા જયદીપ પટેલ અને જગદીશ તિવારીને ગોળી મારી હતી, પરંતુ જીવલેણ હુમલો થવા છતાં બંનેના જીવ બચી ગયા હતા.