કૃષ્ણ ભગવાનના સિંધારામાં શહેરની મહિલાઓએ કાન્હાને સજાવ્યા અલગ અલગ અવતારમાં - Women decorate
અમદાવાદ: અગ્રવાલ મહિલા સંગઠન દ્વારા મંગળવારે કૃષ્ણ ભગવાનનો સિંધારો કરવામાં આવ્યો હતો. જેમાં અગ્રવાલ સમાજની અંદાજીત 50 મહિલાઓએ ભાગ લીધો હતો.

etv bhart ahmedabad
મહિલાઓ ઘરેથી કાન્હાને સજાવીને લાવી હતી. તેમાં સાસુ વહુઓએ મળીને ભગવાનને સજાવ્યા હતા. આ માટે તેમણે રમતો પણ રમી હતી. આ મહિલાઓનું ગ્રુપ વર્ષમાં 5થી 6 વખત મળીને તહેવારો ઉજવે છે. જન્માષ્ટમી નજીક આવી રહી છે. જેના કારણે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રમતો રમાડવામાં આવી હતી. તેમાં પ્રસાદ બનાવની પ્રતિયોગીતા, માટલીને સજાવાની પ્રતિયોગીતાનો સમાવેશ થયો હતો. રમતોના અંતે બધી મહિલાઓએ સાથે મળી રાસ પણ રમી હતી.
કૃષ્ણ ભગવાનના સિંધારામાં શહેરની મહિલાઓએ કાન્હાને સજાવ્યા અલગ અલગ અવતારમાં