ગુજરાત

gujarat

સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પરણીતાનો આપઘાત, પોલીસે પતિ અને સાસુ સસરાની કરી ધરપકડ

અમદાવાદમાં મહિલાએ સાસરીયાઓના ત્રાસથી સાતમાં માળેથી કૂદીને (Life end short by jumping from seventh floor) જીવન ટૂંકાવ્યું છે. મહિલા ઓડીસાથી અમદાવાદ આવેલી હતી લગ્ન કરીને. મહિલાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળીને સાતમાં માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે.

By

Published : Oct 11, 2022, 1:17 PM IST

Published : Oct 11, 2022, 1:17 PM IST

સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પરણીતાનો આપઘાત, પોલીસે પતિ અને સાસુ સસરાની કરી ધરપકડ
સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પરણીતાનો આપઘાત, પોલીસે પતિ અને સાસુ સસરાની કરી ધરપકડ

અમદાવાદમાં મહિલાએ સાસરીયાઓના ત્રાસથી સાતમાં માળેથી (Life end short by jumping from seventh floor) કૂદીને જીવનટૂંકાવ્યું હતું. આ મહિલા ઓડીસાથી અમદાવાદ આવેલી હતી પોતાના લગ્ન જીવનના સપના લઈને પરંતુ તેને કયાં ખબર હતી તેના આ સપના તેની જીંદગીને ખતમ કરી દેશે.

પોલીસ સ્ટેશનઓડિસામાં રહેતા રામચંદ્ર બેહેરાએ (મહિલાના પિતા) અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં (amraiwadi police station) ફરિયાદ નોંધાવી છે. તેઓની દિકરી સંગીતાના લગ્ન 6 મહિના પહેલા પંકજ કર નામનાં યુવક સાથે થયા હતા. લગ્ન સમયે તેઓએ દિકરીને સાસરિયાઓના કહ્યા મુજબ 5 સોનાની બંગડી, એક સોનાનો દોરો વોશીંગ મશીન તેમજ ઘરવખરીનો સામાન આપ્યો હતો.

ત્રાસથી કંટાળી લગ્નના થોડા દિવસો સુધી જમાઈ દિકરી સાથે ઓડિસામાં રહ્યો હતો. જોકે પોતે અમદાવાદમાં નોકરી કરતો હોવાથી દિકરીને સાસરીમાં મુકી અમદાવાદ આવી ગયો હતો. 20 દિવસ પહેલા જ પંકજ પત્ની સંગીતા અને માતા મીના અને પિતા કૈલાશ કરને અમદાવાદ લાવ્યો હતો. પરંતુ લાલચુ પતિ અને સસરિયાએ માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો છે.

ફરિયાદમાં આક્ષેપ આ પરિવાર દીકરીને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, મૃતક મહિલાએ માતાને એક દિવસ કહ્યું હતું કે તેની સાસુ મીનતી ઉર્ફે મીના કર તેને બીજા પુરષ સાથે સંબંધ રાખવા બળજબરી કરે છે. લગ્નના પાંચ મહિના બાદ યુવતીના સાસુ સસરા તેને અમદાવાદમાં લઈ આવ્યા હતા.

પુરષ જોડે સંબંધ પતિ અને સાસુ સસરા ગાડી લેવા માટે બે લાખ રૂપિયા પિયરમાંથી લાવવા દબાણ કરતા હતા. યુવતીને સાસુ સસરાએ જો તુ તારા પિતાના ઘરેથી બે લાખ રુપિયા નહી લાવે તો તારે બીજા પુરષ જોડે સંબંધ બનાવીને બે લાખ રૂપિયા અમને કમાવીને આપવા પડશે તેવી ધમકી આપી હતી. જેના કારણે કંટાળીને તારીખ 7મી સપ્ટેમ્બરે યુવતીએ સાતમાં માળેથી ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું. જેથી સાસરિયાઓનો ત્રાસ સહન ન થતા તેણે આ પગલું ભર્યું હોવાનું ધ્યાને આવતા આ મામલે અમરાઈવાડી પોલીસે (amraiwadi police station)દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details