અમદાવાદના ફિટનેસ આઇકોન સપના વ્યાસે ETV ભારત સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, શિયાળામાં લોકોએ ખાવાથી લઈને સુવા સુધી તમામ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. લોકોએ ખાવામાં લીલા અને તાજા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ સૂકા મેવાનો પણ ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. જેમાં બદામનું ખાસ મહત્વ છે. રોજ એક મુઠ્ઠી એટલે કે 23 જેટલી બદામ ખાવાથી 160 જેટલી કેલરી શરીરને મળે છે. જે શરીર માટે સારી હોય છે. ઉપરાંત ડાયાબિટીસના દર્દીએ પણ બદામ ખાવી જોઈએ.
શિયાળામાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા શુ કરવું જોઈએ, જાણો ફિટનેસ આઇકોન પાસેથી...
અમદાવાદ: શિયાળાની શરૂઆત થઈ છે. ત્યારે લોકોને સાંધાના દુખાવા તથા અન્ય શારીરિક તકલીફ પણ થતી હોય છે. ત્યારે શિયાળામાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ. જાણીએ ફિટનેસ આઇકોન સપના વ્યાસ પાસેથી...
etv bharat
ખાવા ઉપરાંત કસરતનું પણ એટલું જ મહત્વ છે. કાર્ડિયોની કસરત જેવી કે સ્વિમિંગ,વેટ લીફટિંગ,જોગિંગ,વૉલકિંગ જેવી કસરત નિયમિત કરવી જોઈએ. કસરત કરવાથી શરીર કામ કરતું રહે છે. જેના કારણે શરીર રોગમુક્ત બને છે. ઉપરાંત શરીર માટે નિયમિત ઊંઘ પણ લેવી જરૂરી છે. સમયસર અને નિયમિત ઊંઘથી રોગ શરીરથી દૂર રહે છે. આમ, સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.