ગર્ભવતી મુસ્લિમ મહિલાની મૃતદેહ બાવળાના મિત્તલ જાદવના પરિવારને સોંપવામાં આવી હતી. જેમાં મિત્તલના પરિવારજનોએ મૃતદેહને દફનાઇ દીધો હતો, પરંતુ મુસ્લિમ પરિવાર નસરીન શેખનો મૃતદેહ લેવા પહેંચ્યા ત્યારે નશરીનનો મૃતદેબ હોસ્પીટલમાં ન હતો. ત્યાર બાદ સામે આવ્યું કે, હોસ્પિટલની ભુલથી નશરીનનો મૃતદેહ બાવળા ખાતેના જાદવ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જેને લઇને નસરીનના પરીવારજનોએ હોસ્પીટલમાં હોબાળો મચાવ્યો હતો.
બાવળામાં હત્યાનો બનાવ બન્યો હતો, જેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ હોસ્પીટલમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે મિત્તલનો પરિવાર મિત્તલનો મૃતદેહ લેવા આવ્યો ત્યારે હોસ્પિટલ તંત્રએ મિત્તલની જગ્યાએ નસરીનનો મૃતદેહ આપ્યો હતો. જેને લઇને આજે જાદવ પરીવારે વહેલી સવારે અંતિમ વિધી પણ કરી નાખી હતી, પરંતુ નસરીનનો મૃતદેહ જાદવ પરીવારે દફનાઇ દીધો હોવાથી ફરીથી તેને કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેને લઇને એલિસબ્રિજ પોલીસે બાવળા પોલીસને જાણ કરી બાવળા પોલીસે જાદવ પરીવારનો સંપર્ક કર્યો હતો. જેનો મૃતદેહ કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ વી.એસ. હોસ્પીટલ ખાતે નસરીનના મૃતદેહને લેવા આવેલા પરીવારજનોએ હોસ્પીટલમાં હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે પરીવારજનોએ હોસ્પિટલ પર આક્ષેપ કર્યા હતા કે હોસ્પિટલની બેદરકારીના કારણે આવી ઘટના થઇ છે. જ્યારે નસરીનનો મૃતદેહ કર્ણાટક મોકલવાનો હતો.