ગુજરાત

gujarat

ETV Bharat / state

દીનદયાલજીની જન્મજયંતની નિમિત્તે વિરમગામ શહેર અને તાલુકા ભાજપની E-Book launch કરવામાં આવી

25 સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે વિરમગામ શહેર અને તાલુકા ભાજપની ઈ બુકનું વર્ચ્યુઅલ ન્ચિંગ કરવામાં આવ્યું હતું.

By

Published : Sep 26, 2020, 3:05 PM IST

viramgam
viramgam

વિરમગામ: ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લામાં સેવા એ સંગઠન માટેની વિરમગામ શહેર દ્વારા covid-19 અંતર્ગત કરવામાં આવેલી સેવાકીય કાર્યની ઈ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ. પૂર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ દ્વારા 25 સપ્ટેમ્બરના રોજ દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે તેમના જીવન ચરિત્ર પર નાનું વક્તવ્ય આપ્યું હતુ. તાલુકા ભાજપની ઈ બુક લોન્ચિંગ બેઠકમાં અમદાવાદ જિલ્લા સંગઠનના મહામંત્રી નવદીપસિંહ ડોડીયાએ પણ માર્ગદર્શન આપ્યું હતુુ.

દીનદયાલજીની જન્મજયંતની નિમિત્તે વિરમગામ શહેર અને તાલુકા ભાજપની E-Book launch કરવામાં આવી
આ પ્રસંગે વિરમગામ શહેર અને તાલુકા સંગઠનની ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મહિલા મોરચાની ટીમ,અનુસૂચિત જાતિ મોરચાની ટીમ, આઇ.ટીની ટીમ તેમજ અનેક આગેવાનો તથા કાર્યકર્તાઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details