ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના કાલુપુરની ચોખા બજારમાં એક સાથે 20થી વધુ દુકાનમાં ચોરી - અમદાવાદમાં 20 દુકાનોમાં ચોરી

અમદાવાદ: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસેને દિવસે ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં વધુ એક ઉમેરો થયો છે. બુધવાર મોડી રાત્રે ચોખા બજારની 20 દુકાનોમાં ચોરી થઈ છે. આ મામલે પોલીસે ફરીયાદ આધારે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના કાલુપુરની ચોખા બજારમાં એક સાથે 20થી વધુ દુકાનમાં ચોરી

By

Published : Nov 14, 2019, 5:29 PM IST

મળતી માહિતી પ્રમાણે, શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલાં ચોખા બજારમાં બુધવારે મોડી રાત્રે ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ચોખા બજારમાં નીચેના માળ પર આવેલી અનાજની દુકાનોના તાળા તોડીને રોકડ રકમ અને પહેલા માળની કેટલીક ઓફિસમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. જેની જાણમાં જ્યારે સવારે વેપારીઓ આવ્યા ત્યારે દુકાનોના તૂટેલાં તાળા તથા કેટલીક દુકાનો અડધી ખુલ્લી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતાં. આમ, આટલી મોટી માત્રામાં તાળા તૂટતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.

અમદાવાદના કાલુપુરની ચોખા બજારમાં એક સાથે 20થી વધુ દુકાનમાં ચોરી
આ અંગે દુકાનદારોએ દરિયાપુર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ બનાવ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોચ્યાં હતાં. આ અંગે પોલીસે પ્રાથમિક તપાસ CCTV ફૂટેજ અને વેપારીઓની પૂછપરછના આધારે શરુ કરી છે. પ્રાથમિક માહિતીમાં 20થી વધુ દુકાનોના તાળા તોડી 3 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details