અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં નવા 25 કેસ નોંધાતા કુલ આંકડો 650 પર પહોંચ્યો છે.
નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાના 197 કેસ નોંધાયા છે, જ્યારે દસક્રોઈમાં 153, બાવળામાં 71 કેસ નોંધાયા છે.
બુધવારે સૌથી વધુ 10 કોરોના પોઝિટિવ કેસ ધોળકા તાલુકામાં નોંધાયા હતા. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા છે. હવે મૂળ ધોળકા શહેરમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 112 ધંધુકા 22, વિરમગામમાં 59, બાવળા -71 અને માંડલ તાલુકામાં 14 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી 44 દર્દીઓના મોત નીપજ્યાં છે.