ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો આંકડો 650 પર પહોંચ્યો - અમદાવાદ ન્યૂઝ

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં નવા 25 કેસ નોંધાતા કુલ આંકડો 650 પર પહોંચ્યો છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Jun 17, 2020, 8:58 PM IST

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં નવા 25 કેસ નોંધાતા કુલ આંકડો 650 પર પહોંચ્યો છે.

નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાના 197 કેસ નોંધાયા છે, જ્યારે દસક્રોઈમાં 153, બાવળામાં 71 કેસ નોંધાયા છે.

બુધવારે સૌથી વધુ 10 કોરોના પોઝિટિવ કેસ ધોળકા તાલુકામાં નોંધાયા હતા. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા છે. હવે મૂળ ધોળકા શહેરમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 112 ધંધુકા 22, વિરમગામમાં 59, બાવળા -71 અને માંડલ તાલુકામાં 14 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી 44 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામિણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.60 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં 44 હજાર જેટલા ઘરોનું સર્વિલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશર ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 197 અને સાણંદમાં 112 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details