ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરાકાંડ: પીડિતોને હાઈકોર્ટ દ્વારા 10 ગણું વળતર ચૂકવવાનો કર્યો આદેશ - Victimes

અમદાવાદ: વર્ષ 2002માં દેશને હચમચાવી દેનારો હત્યાકાંડ એવો ગોધરાકાંડ હિંમતનગર રમખાણો દરમિયાન પીડિતોને કેન્દ્ર સરકારની વળતર પોલીસી પ્રમાણે રકમ ન ચુકવાતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાતા જસ્ટીસ એવાય કોગ્જે રાજ્ય સરકારને પોલીસી પ્રમાણે મિલકતને થયેલા નુકસાનની 10 ગણી રકમ ચુકવવાનો આદેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે.

ddada

By

Published : Jul 19, 2019, 4:37 AM IST

તો આ મામલે જસ્ટીસ એ.વાય.કોગ્જે મહત્વનું અવલોકન કર્યુ હતું કે, પીડિત અરજદારોએ લોન લીધી હોય તો તેમને કેન્દ્ર સરકારની વળતર નીતિનો લાભ ન મળી શકે એવું પોલીસીમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી.

હાઈકોર્ટમાં રિટ દાખલ કરનાર 8 પીડિત અરજદારોને કેન્દ્ર સરકારની વળતર પોલીસી પ્રમાણે રકમ ચુકવવાની ના પાડી રાજ્ય સરકારે માત્ર 2,500 રૂપિયાની રકમ ચુકવી હતી. જેની સામે અરજદારે વર્ષ 2013માં હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પીડિત અરજદારોએ વર્ષ 2012માં આ મુદ્દે સાબરકાંઠા કલેક્ટરને આદેવન પત્ર પણ પાઠવ્યું હતું. જો કે તે છતા પરિણામ શુન્ય જ આવ્યું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details