ગુજરાત

gujarat

ETV Bharat / state

DPS સ્કૂલે ગેરરીતિ આચરી હોવાથી પગલા લીધાઃ શિક્ષણ વિભાગ - અમદાવાદ

હાથીજણ ખાતે આવેલી DPS ઈસ્ટ શાળાને બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી રિટ મુદે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ તરફે સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું.

DPS સ્કુલે ગેરરીતિ આચરી હોવાથી પગલા લીધાઃ શિક્ષણ વિભાગ
DPS સ્કુલે ગેરરીતિ આચરી હોવાથી પગલા લીધાઃ શિક્ષણ વિભાગ

By

Published : Mar 11, 2020, 9:13 PM IST

Updated : Mar 11, 2020, 9:29 PM IST

અમદાવાદઃ હાથીજણ ખાતે આવેલી DPS ઈસ્ટ શાળાને બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી રિટ મુદે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ તરફે સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું.

જેમાં અરજદાર દિલ્હી પબ્લિક સ્કુલ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતા પગલા લેવાયા હોવાનો ખુલાસો કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી અગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

DPS સ્કુલે ગેરરીતિ આચરી હોવાથી પગલા લીધાઃ શિક્ષણ વિભાગ
હાઈકોર્ટમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા સોંગદનામામાં રજૂઆત કરવામાં આવી હતી કે, શિક્ષણ વિભાગ દ્વારા જે પણ પગલા લેવામાં આવ્યા છે. તે વિદ્યાર્થીઓના હિત માટે જ લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ અને ભવિષ્ય ન બગડે એ માટે રાજ્ય સરકાર 31મી માર્ચ 2020 સુધી તેનું સંચાલન કરશે, ત્યારબાદ સ્કુલને બંધ કરી દેવાશે.

ઉલ્લેખનીય છે કે, લગભગ સરખી સરકારના DPS સ્કુલ બંધ કરવાના નિર્ણયને પડકારતી 3 જેટલી અરજી ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે સૌથી પહેલાં દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પરત ખેંચી લેવામાં આવી છે.

નિત્યાનંદ આશ્રમ વિવાદ બાદ અચાનક જ CBSE દ્વારા બોગસ NOCના આક્ષેપ સાથે શાળાની માન્યતા રદ કરી દીધી હતી. અરજદાર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, વિધાર્થીઓના ભવિષ્ય ન બગડે તેવા માટે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય પગલા લઈ DPSને બંધ કરતા અટકાવવામાં આવે.

Last Updated : Mar 11, 2020, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details