આખરે SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના પગાર કાપનો નિર્ણય પાછો ખેંચાયો, લેખિતમાં બાંહેધરી મળી - લેખિતમાં બાંહેધરી
એશિયાની સૌથી મોટી SVP હોસ્પિટલમાં 200થી વધુ સ્ટાફની સેલેરી પર કાપ મુકવામાં આવ્યો હતો. જેના પગલે નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો. જેમાં તેની સંપુર્ણ પણે પગાર આપવાની માગ હતી. જે બાદ તંત્રએ પગાર આપવાની ખાતરી આપી છે.
![આખરે SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના પગાર કાપનો નિર્ણય પાછો ખેંચાયો, લેખિતમાં બાંહેધરી મળી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના પગાર કાપ નો નિર્ણય પાછો ખેંચાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7525089-510-7525089-1591599132742.jpg)
અમદાવાદ: SVP હોસ્પિટલમાં 200થી વધુ સ્ટાફની સેલેરી પર કાપ મૂકવામાં આવ્યો હતો. જેના પગલે નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો અને સંપૂર્ણ પગાર આપવાની ઉગ્ર માગ કરવામાં આવી હતી. બાદમાં હડતાળ પર ઉતરેલા SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને હોસ્પિટલ તંત્ર તરફથી ખાતરી આપવામાં આપવાની સાથે સાથે લેખિતમાં પણ જાણકારી આપવામાં આવી છે કે તેમનો પગાર કપાશે નહી. આ સાથે સાથે જે સ્ટાફ covid-19 વોર્ડમાં ફરજ બજાવે છે, તે સ્ટાફને 20 ટકા વધારે પગારની ચૂકવણી કરવામાં આવશે. આ ઉપરાંત તેઓને 250 રૂપિયાનું ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે.