ખતરો ટળ્યો, વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું... - વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું
અમદાવાદઃ ગુજરાતમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં વાવાઝોડાનો ખતરો હવે ટળી ગયો છે. કારણે કે, વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારોથી ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જેથી રાજ્યમાં વાવાઝોડાની અસર થવાની થવાની શક્યતા ઓછી છે.
![ખતરો ટળ્યો, વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4535520-thumbnail-3x2-sa.jpg)
etv bharat
જોકે, ગત રોજ જેમ વડોદરામાં ઝાપટાં પડ્યાં હતાં. એવી જ રીતે બેથી ત્રણ દિવસો દરમિયાન ઝાપટાં પડી શકે છે. જોકે, બંગાળની ખાડીમાં એક નવી જ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જો એ આગળ વધી તો 29 સપ્ટેમ્બર એટલે કે, નવરાત્રિના પ્રથમ દિવસથી જ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વાવાઝોડું ઓમાન તરફ આગળ વધતાં રાજ્યમાં ભારે વરસાદ-વાવાઝોડાની શક્યતા ઓછી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવોથી થવાની શક્યતા છે.