ગુજરાત

gujarat

અમદાવાદને પ્રદુષણમુક્ત કરવાનો સંકલ્પ, 300 ઈલેકટ્રીક બસો શરુ થશે

By

Published : Sep 13, 2019, 5:26 PM IST

અમદાવાદઃ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે લડવા માટે અમદાવાદ વહીવટીતંત્રએ કમરકસી છે. આ અભિયાનના ભાગરૂપે 300 ઈલેક્ટ્રીક બસોના ટેન્ડરને મંજૂરી અપાઈ છે.

અમદાવાદને પ્રદુષણમુક્ત કરવાનો સંકલ્પઃ 300 ઈલેકટ્રીક બસ શરુ થશે

અમદાવાદમાં વધુ 300 ઇલેક્ટ્રિક બસોનું ટેન્ડર મંજૂર કરાયું છે. દેશભરમાં ઇલેક્ટ્રિક બસોનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર બની રહેશે. અમદાવાદ જનમાર્ગની બોર્ડ મીટિંગમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTSની કુલ 700 અને જનમાર્ગ BRTSની 255 બસો દ્વારા રોજિંદા 7 થી 8 લાખ જેટલા મુસાફરોને જાહેર પરિવહનની સેવાનો લાભ મળી રહે છે.

અમદાવાદને પ્રદુષણમુક્ત કરવાનો સંકલ્પઃ 300 ઈલેકટ્રીક બસ શરુ થશે
અમદાવાદ કોર્પોરેશનના મેયર બિજલબેન પટેલે જણાવ્યુ હતું કે, 'જનમાર્ગ દ્વારા અશોક લે લેન્ડની ઇ-ટેન્ડર પ્રક્રિયા મારફતે 50 ઈલેક્ટ્રીક બસો સપ્લાય ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે અપાઈ છે. જે પૈકી અત્યાર સુધી આ ટેકનોલોજીવાળી 12 બસોની ડિલિવરી મળી છે. જે ભારતભરમાં પ્રથમ પ્રકારની અને ફાસ્ટ ચાર્જિંગ પ્રકારની અને 32 બસોની ડિલિવરી મળવાની પ્રક્રિયા ચાલુ છે. આ બસો છ થી આઠ મહિનામાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે. તેમજ ગ્રોસ મેથડથી બસોને KM દીઠ ભાડું ચૂકવાશે.'

ABOUT THE AUTHOR

...view details