વધુમાં જણાવીએ કે, એરપોર્ટની આસપાસના નિયત કરતા વધુ ઉંચી બિલ્ડિંગ કે બાંધકામને લીધે ટેક-ઓફ કે લેન્ટ કરતી વખતે પેસેન્જર, ક્રુ સભ્યો અને લોકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. આ અંગે સર્વે કર્યા બાદ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આશરે 41 જેટલી સોસાયટીને નોટિસ પાઠવામાં આવી હતી.
સુરત:મ્યુનિસિપલ કોર્પોરેશન એરપોર્ટ આસપાસ બાંધકામ મુદ્દે જવાબ રજૂ કરે - હાઈકોર્ટ - building
સુરત:રાજ્યના બીજા સૌથી વ્યસત ગણાતા સુરત એરપોર્ટની આસપાસ બાંધવામાં આવેલી ઈમારતોની ઉંચાઈ નિયત કરતા વધુ હોવાથી દુર્ધટનાની શક્યતાને પગલે હાઇકોર્ટે સુરત મ્યુનિસિલ કોર્પોરેશનને નોટિસ પાઠવી હતી. જો કે જવાબ રજૂ ન કરાતા ગુરુવારે કોર્ટે આખરી જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ સમસ્યાના નિવારણ માટે શું કામગીરી અથવા પગલા લેવામાં આવ્યા છે. તેની માહિતી આગામી 2 સપ્તાહ સુધીમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

સુરત:મ્યુનિસિપલ કોર્પોરેશન એરપોર્ટ આસપાસ બાંધકામ મુદ્દે જવાબ રજુ કરે - હાઈકોર્ટ
સાત મહિના પસાર થઇ ગયા છતાં કોઈ જ નકકર પગલા લેવામાં આવ્યા નથી. બિલ્ડિંગની ઉંચાઈ માપદંડ પ્રમાણે છે કે, નહિ તેની પણ કોઈ ખાસ નોંધ કે માહિતી રાખવામાં આવી ન હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો.
દરરોજ સરેરાંશ 27થી વધુ ફ્લાઈટની અવરજવર ધરાવતા સુરત એરપોર્ટની આસપાસ આવેલી બિલ્ડિંગમાં કોલિઝન લાઈટ પણ લગાડવામાં આવી નથી. એટલું જ નહીં પેસેનજર, ક્રુ અને લોકોની અસલામતીને લઈને એરમેનને પણ કોઈ નોટિસ પાઠવામાં આવી નથી. આ પ્રકારની બેદરકારી બંધારણની કલમ 21નું ઉલ્લઘંન છે.