ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ઉપર લખાયાં સ્લોગન - કોરોના સ્લોગન

કોરોના લૉક ડાઉનના અમલમાં પ્રશાસનની સખતાઈ છતાં અમદાવાદીઓને ઘરમાં બેસી રહેવું ખૂબ મુશ્કેલીભર્યું લાગે છે. નાની લટાર પણ કોઇ કામસર લઇ લેવા નીકળી જાય છે. ત્યારે હજુ પણ વધુ સાવચેત રહેવાની અપીલ કરવા માટે રસ્તાઓ ઉપર સ્લોગનો લખવામાં આવી રહ્યાં છે કે ઘેર રહો સુરક્ષિત રહો.

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ઉપર લખાયાં સ્લોગન
અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ઉપર લખાયાં સ્લોગન

By

Published : Apr 6, 2020, 12:50 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ કેળવવા માટે અને લોકો ઘેર જ રહે તે માટે તંત્ર દ્વારા જુદાંજુદાં પગલાં ભરવામાં આવ્યાં છે. તે અંતર્ગત જ અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે રોડ પર જુદાંજુદાં સ્લોગન લખવામાં આવ્યાં છે.

આ સ્લોગનો પર નજર પડે તો પણ રોડ ઉપર નીકળતાં એકલદોકલ શખ્સો પણ તે વાંચે અને પોતાના ઘેર રહે તેવી આશા સ્લોગનો લખતાં રાખવામાં આવી રહી છે.

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ઉપર લખાયાં સ્લોગન

આ સ્લોગનોમાં 'ઘરમાં રહો સુરક્ષિત રહો', 'કોરોના કો ભગાના હૈ વિશ્વ કો બચાના હૈ' અને સ્પેશિયલ હેશટેગ'ગો કોરોના ગો' જેવા સૂત્રો લખવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details