ગુજરાત

gujarat

ETV Bharat / state

Shani Jayanti 2021 - અમદાવાદમાં શનિ દેવને રિઝવવા યોજાયો હવન - Shani Jayanti 2021

ગુરુવારના રોજ સૂર્ય પુત્ર શનિદેવની જન્મ જયંતી ( Shani Jayanti 2021 ) છે. ન્યાયના દેવતાની જન્મ જયંતીને લઈને ગુરુવારના રોજ શનિદેવના મંદિરોમાં વિશિષ્ટ પૂજા અને હોમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Saturn Jayanti
Saturn Jayanti

By

Published : Jun 10, 2021, 10:23 PM IST

  • ગુરુવારના રોજ છે શનિ જયંતી
  • શનિ મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું
  • શનિ ભક્તોએ લીધો દર્શનનો લાભ
  • પવિત્ર સામગ્રીથી યોજાયો હોમ

અમદાવાદ : ગુરુવારના રોજ સૂર્ય પુત્ર શનિદેવની જન્મ જયંતી ( Shani Jayanti 2021 ) છે. જે કારણે અમદાવાદ શહેરમાં આવેલા શાહીબાગ ખાતે આવેલા પ્રસિદ્ધ શનિદેવ મંદિરમાં ગુરુવારના રોજ શનિ દેવને રિઝવવા જઉં, તલ અને સરસિયાના તેલથી હોમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહીબાગ શનિદેવ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, શનિદેવને આહુતિ આપવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ શનિની પનોતી, કાલસર્પ યોગ, શનિ-ચંદ્ર બીજ યોગ વગેરે દૂર થાય છે. અંગારક યોગનું નિવારણ થાય છે. ધન, યશ, કીર્તિ વૈભવની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને સ્વાસ્થ્ય માટે લાભદાયક અને દરેક દેશોમાંથી કોરોના દૂર થાય તે મુજબની આહુતિ યજ્ઞમાં આપવામાં આવી છે.

Shani Jayanti 2021 - અમદાવાદમાં શનિ દેવને રિઝવવા યોજાયો હવન

સારા કર્મનું ફળ સારુ જ મળે

શાસ્ત્રી ચિરાગ જોશીએ જણાવ્યું હતું કે, શનિની સાડાસાતીની પનોતીથી લોકો દરતાબ હોય છે. પરંતુ શનિદેવ ન્યાયના દેવતા છે અને તે કર્મ પ્રમાણે ફળ આપનારા છે. તેથી સારા કર્મોનું ફળ સારું જ મળે છે અને ખરાબ કર્મોનું ફળ ખરાબ જ મળે છે. જે માટે સારા કર્મ કરનારને શનિની સાડાસાતી લાગુ પડતી નથી.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details