શૈલેષ પરમારે જુબાનીમાં વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં 4 મત પત્રક સામે પ્રશ્ન ઉઠાવાયા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધીઓએ મતપત્રક સામે શંકા દર્શાવી હતી. રાઘવજી પટેલ અને ભોળાભાઈએ મતપત્રક જાહેરમાં બતાવવાની કોશિશ કરેલી તે સામે મેં ચૂંટણી એજન્ટ તરીકે,અર્જુન ભાઈ પોલીગ એજન્ટ તરીકે અને શક્તિસિંહે ઓથોરાઈઝડ એજન્ટ તરીકે પ્રશ્નો કર્યા હતા. ભાજપનો વાંધો મારા મત સામે હતો. જો કે આ માત્ર મતદાન ચાલું હતું ત્યાર સુધીનું હતું. મતદાન કર્યું ત્યારે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. ચારે વાંધાજનક મત પત્રક જે તે વખત મતપેટીમાં નખાઈ ગયા હતા એ વાત સાચી. મતપત્રક મતપેટીમાં નાખ્યા પછી લેખિત અરજી આપી હતી. જેમાં પરિસાઈડિંગ ઓફિસરે રિસીવ કરીને સમય ટાંકયો ન હતો. પરંતુ ઓફિસરે કહ્યું હતું કે, વિડીયોગ્રાફી જોયા પછી નિર્ણય લેવામાં આવશે.
અડાલજ અને કંથારીયાની જમીનની માલિકી વિશે જુબાની આપતા શૈલેષ પરમારે કહ્યું કે, મિલ્કતમાં જે શંસાક મનહર ભાઈ પરમાર લખ્યું છે એ મારું જ નામ છે. શાળામાં મારા પિતાશ્રીએ મારું નામ શશાંક રાખ્યું હતું. બીજું લાડકું નામ શૈલેષ હતું. મારા પિતાના અવસાન પછી ગેજેટમાં નામ ફેર કરીને શશાંકની જગ્યાએ શૈલેષ કર્યું હતું.
અહેમદ પટેલની જીતને પડકારતી રીટ મુદ્દે ધારાસભ્ય શૈલેષ પરમારે જુબાની નોંધાવી - etv bharat news
અમદાવાદ: વર્ષ 2017 રાજ્યસભા અહેમદ પટેલની જીતને પડકારતી રિટ મુદ્દે ગુરુવારે જસ્ટીસ બેલા ત્રિવેદીની કોર્ટમાં દાણીલીમડાના કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર જુબાની આપવા આપ્યા હતા. જ્યાં મતપત્રક છીનવાના પ્રયાસ બદલ થયેલી બબાલનો ઉલ્લેખ કર્યો હતો. વીડિયોમાં ટેમ્પરિંગની શંકાને ધ્યાનમાં રાખીને પ્રિસાઈડિંગ ઓફિસરને વીડિયોની FSL તપાસની માંગ કરતી અરજી કરી હતી. જેનો 8મી ઓગસ્ટ સુધી કોઈ જ પત્ર વ્યવહાર ન કર્યો હોવાની કબુલાત કરી હતી.
![અહેમદ પટેલની જીતને પડકારતી રીટ મુદ્દે ધારાસભ્ય શૈલેષ પરમારે જુબાની નોંધાવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4083038-thumbnail-3x2-ahmedpatel.jpg)
પિતાના નામમાં પણ મનહરભાઈ અને મનુભાઈ એમ 2 નામ ચાલે છે. જીવનકાળમાં કોઈ ક્રિમિનલ કેસ ન હોવાની શૈલેષ પરમારે કોર્ટમાં જુબાની આપી હતી. જો કે 2017ની વિધાનસભાની ચુંટણીના એફિડેવિટમાં એક કેસ ચાલું હોવાનું યાદ નથી તેવી દલીલ પરમાર તરફે કરવામાં આવી હતી. કોર્ટે અન્ય સાક્ષીઓ કે જેમની જુબાની બાકી છે એ અંગે પુછતા અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરીએ કહ્યું કે, આમ તો મોટાભાગની સાક્ષીઓની જુબાની પૂર્ણ થઈ છે. પરતું દિલ્લીથી સૂચના મળે તે પ્રમાણે આગામી દિવસોમાં અમે કોર્ટ સમક્ષ જાણ કરીશું. આ મામલે વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરવામાં આવશે.