ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્ષ 2009 ઓઢવ લઠ્ઠાકાંડ મુદ્દે સેશન્સ કોર્ટ આજે ચુકાદો આપશે - Court

અમદાવાદ: વર્ષ 2009માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 150થી વધુ લોકોનાં મોત થયા હતા. જે પૈકી ઓઢવમાં ઝેરી દારૂ પીવાથી 123 લોકોના મોત નિપજ્યા હતા.ઓઢવ લઠ્ઠાકાંડ કેસમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે આ મામલે ચુકાદો શુક્રવારના રોજ પર અનામત રાખ્યો છે. જેથી આજે સ્પે.જજ ડી.પી. મહિડા 33 આરોપી સામે ચુકાદો આપે તેવી શક્યતા છે.

વર્ષ 2009 ઓઢવ લઠ્ઠાકાંડ મુદ્દે સેશન્સ કોર્ટ આવતીકાલે ચુકાદો આપશે..

By

Published : Jun 28, 2019, 6:21 AM IST

Updated : Jun 28, 2019, 1:20 PM IST

નોંધનીય છે કે, આ કેસમાં દલીલો પૂર્ણ થયા બાદ જજની બદલી થઇ ગઇ હતી. જો કે, હાઇકોર્ટે તે બદલી પર રોક લગાવી હતી અને કેસ પૂર્ણ થયા બાદ બદલી કરવાનો આદેશ જારી કર્યો હતો. 9થી 11 જૂન, 2009 દરમિયાન ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં ઝેરી દારૂ પીવાને કારણે 150થી વધુ લોકોના મોત થયા હતા.

જ્યારે 200 જેટલા લોકોને ઝેરી દારૂની અસર થઇ હતી. જેમાંથી કેટલાક લોકોની આંખો પણ જતી રહી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે જયેશ ઠક્કર, વિનોદ ડગરી સહિત ઝેરી દારૂ વેચનાર 33 લોકોને ઝડપી લઇ તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.

ગંભીર પ્રકારનો કેસ હોવાથી આ મામલે સરકારે એચ.એમ. ધ્રુવ, અમીત પટેલ અને સુધીર બ્રહ્મભટ્ટની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી હતી. જેમાં સરકારી વકીલોએ 650થી સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો કેસ છે, જે પુરવાર થાય છે, 123 લોકોના મોત નિપજ્યાં હતા. ત્યારે આવા કેસમાં સમાજના વિશાળ હિતને ધ્યાને લઇ આરોપીઓને સખત સજા થવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કાગડાપીઠ લઠ્ઠાકાંડ કેસમાં કોર્ટે માર્ચ મહિનામાં ચુકાદો આપ્યો હતો. જેમાં 10 આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 14 આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા હતા.

Last Updated : Jun 28, 2019, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details