ગુજરાત

gujarat

By

Published : Apr 18, 2019, 10:31 PM IST

ETV Bharat / state

સામ પિત્રોડાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, વડાપ્રધાનને કહ્યા જુઠ્ઠા

અમદાવાદ: વિશ્વવિખ્યાત ટેક્નોક્રેટ ડૉ. સામ પિત્રોડા અમદાવાદ ખાતે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં હાજરી આપવા આવ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તો તેમણે એજયુકેશન ટેકનોલોજી અને અન્ય વિષયો પર પણ ચર્ચા કરી હતી.

સામ પિત્રોડા

યુવાનો સાથે વિશેષ સંવાદ માટે સામ પિત્રોડા અમદાવાદના આવી પહોંચ્યા હતા, ત્યારે સંવાદ પહેલા તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી હતી અને કોંગ્રેસના મેનિફેસ્ટોને મીડિયા સમક્ષ જાહેર કર્યો હતો.

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં સામ પિત્રોડાની ઉપસ્થિતી

કોંગ્રેસના મેનિફેસ્ટો પર ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ફરીને લોકોની વાતો જાણી લોકોના મુદ્દાઓ વિચારી કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ 52 મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિજેતા બનશે અને સત્તા પર આવશે તો ચોક્કસ તે અમલ કરવામાં આવશે.તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ફક્ત વાયદાઓ નથી કરતી જે બોલે છે તે કરીને બતાવે છે.

તો આ સાથો સાથ તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, તેઓ વિના શર્મ ભારતના લોકોને જૂઠ્ઠુ બોલે છે અને લોકો તેમની વાતો માને પણ છે. જેના કારણે કોંગ્રેસે ભારતના નિર્માણમાં જે યોગદાન આપ્યું છે તેના વિશે યુવાનોને વધુ જાણકારી નથી મળી રહી. લોકોને ખોટી રીતે ગુમરાહ કરવામાં આવે છે.વડાપ્રધાન જે કોઇપણ વાત બોલે એ સત્ય જ હોય એ જરૂરી નથી.કોંગ્રેસ પાર્ટી સત્યને બહાર લાવવાનું કામ કરે છે અને સત્યની આ લડાઈ છે હવે કોંગ્રેસ પાર્ટી આમાં વિજેતા બનશે.

આઝાદી મળી ત્યારે 77% ભારત ગરીબ હતું અને 30 કરોડની આબાદી હતી. 70 વર્ષ બાદ 20% ગરીબી થઈ છે અને આબાદી ચાર ગણી વધી છે. કોંગ્રેસ પાર્ટીએ દેશને એક બનાવ્યો છે.કોંગ્રેસ પાર્ટી દ્વારા શિક્ષણને આગળ વધારવામાં આવ્યું છે. ITI,IIM યુનિવર્સિટી, સાયન્ટિફિક લેબોરેટરી, સ્પેસ એગ્રીકલ્ચર ડિફેન્સ, મેડિકલ રિસર્ચ વગેરે સુવિધાઓ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસવાળા 150 બિલિયન ડોલર સોફ્ટવેર એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. જેનાથી 1.3 મિલિયન લોકોને રોજગાર આપાયો છે. એગ્રીકલ્ચર, IT, સ્પેસ, એટોમિક એનર્જી, ફાર્માસ્યુટિકલ્સમાં પણ ડેવલોપમેન્ટ કર્યું છે, તો તમારી સામે બીજેપી દ્વારા ફક્ત વાયદાઓ કરવામાં આવ્યા છે

તેમણે સ્માર્ટ સિટી, નેનો પ્રોજેક્ટ, બ્લેક મની વગેરે વિષયો પર બીજેપીને ઘેટા જણાવ્યું હતું. ત્યા બધા ફાયદાઓનું શું થયું સાથે સાથે તેમણે EVM મશીન પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે હજી સુધી EVM મશીનની ચકાસણી થઈ નથી. જેથી કઈ કહી શકાય નહીં પરંતુ EVM મશીનમાં ગડબડ છે એ વાત પાકી છે.

કોંગ્રેસ દ્વારા બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તો આ સાથે જ કોંગ્રેસની રણનીતી રૂપ મેનિફેસ્ટો પણ જાહેર કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details