ગુજરાત

gujarat

અમદાવાદના પાંજરાપોળ અકસ્માત મામલે આરોપી ડ્રાઈવરને સાથે રાખી રિકન્ટ્રક્શન કરાયું

By

Published : Dec 1, 2019, 12:41 PM IST

અમદાવાદ: શહેરમાં 21 નવેમ્બરે પાંજરાપોળ પાસે BRTS બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર જતાં 2 ભાઈઓના મોત નિપજ્યા હતાં. આ મામલે પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને બસના ડ્રાઈવર વિરુદ્ધ માનવ વધનો ગુનો નોંધ્યો હતો. જે ઘટના બાદ પોલીસ દ્વારા બસના ડ્રાઈવરને સાથે રાખીને આ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરવ્યું હતું.

અમદાવાદના પાંજરાપોળ અકસ્માત મામલે આરોપી ડ્રાઈવરને સાથે રાખી રીકન્ટ્રક્શન કરાયું
અમદાવાદના પાંજરાપોળ અકસ્માત મામલે આરોપી ડ્રાઈવરને સાથે રાખી રીકન્ટ્રક્શન કરાયું

અકસ્માતના બનાવ માટે બસના ડ્રાઇવર ચિરાગ વિરુદ્ધ કલમ 304 મુજબ સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ દ્વારા અકસ્માતના બનાવનું રિકન્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, FSLની ટિમ, BRTSના કર્મીઓ પણ હાજર રહ્યા હતાં. આરોપી ડ્રાઈવરને સાથે રાખીને કેવી રીતે અકસ્માત સર્જાયો તે પોલીસ દ્વારા જાણવામાં આવ્યું જેના પરથી પોલીસ દ્વારા પણ એક રિપોર્ટ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details