ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં વરસાદી માહોલ બાદ પાણીજન્ય કેસો વકર્યા, ટાઈફોડના 600 કેસ નોંધાયા

અમદાવાદ: પાણીજન્ય રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે. ચોમાસાની શરૂઆતની સાથે શહેરમાં રોગચાળાએ નાગરિકોને પોતાના ભરડામાં લીધો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગથી દર્દીઓ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને દોષિતોને નોટિસ પર આપવામાં આવે છે. ત્યારે રોગ વધારે ન ફેલાય તે માટે શાળા તથા દવાખાનામાં પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યું છે.

By

Published : Sep 4, 2019, 6:13 AM IST

etv bharat ahmedabad

શહેરમાં ચોમાસાની શરૂઆત થવાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાયો છે. ચાલુ માસમાં સાદા મલેરિયાના 721 ઝેરી મેલેરિયાના 32 ડેન્ગ્યુના 199 તેમજ ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવેતો ઝાડા-ઉલ્ટીના 543 કમળાના 353, ટાઇફોઇડના 600 અને કોલેરાના એક કેસ નોંધાયો છે.

અમદાવાદમાં વરસાદી માહોલ બાદ પાણીજન્ય કેસો વકર્યા

ABOUT THE AUTHOR

...view details