ગુજરાત

gujarat

By

Published : Apr 22, 2021, 9:48 PM IST

ETV Bharat / state

અમદાવાદ શહેર–જિલ્લાના જનસેવા કેન્દ્રો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ

અમદાવાદ શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલી તથા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રની કામગીરી જાહેરહીત તથા આરોગ્યને ધ્યાને લઈને આગામી હુકમ ન થાય સુધી સ્થગિત કરવામાં આવી હોવાનું અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષદ વોરાએ જણાવ્યું છે.

જનસેવા કેન્દ્ર
જનસેવા કેન્દ્ર

  • અમદાવાદ શહેર જિલ્લાના જનસેવા કેન્દ્રો આગામી હુકમ ન થાય ત્યાં સુધી બંધ
  • અતિ આવશ્યક સંજોગો સિવાય અરજદારોની મુલાકાત પર પ્રતિબંધ
  • નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા પગલાં

અમદાવાદ : શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલા તથા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રની કામગીરી જાહેરહીત તથા આરોગ્યને ધ્યાને લઈને અન્ય હુકમ ન થાય સુધી સ્થગિત કરવામાં આવી છે. આ અંગે અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષદ વોરાએ માહિતી આપી હતી.

આ પણ વાંચો -અમદાવાદ મનપાનો મોટો નિર્ણય, પોલીસ એસ્કોર્ટ સાથે બહારથી લાવવામાં આવશે ઓક્સિજન

ખૂબ આવશ્યક સેવા માટે મામલતદારનો સંપર્ક કરવો

અગાઉ 09 એપ્રિલના પરિપત્રથી અમદાવાદ શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલા તથા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત જન સેવા કેન્દ્રની કામગીરી 12 એપ્રિલથી કામકાજના 07 દિવસ એટલે કે 23 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યા હતા. પ્રવર્તમાન કોરોના સંક્રમણના સંજોગોને ધ્યાને લઈ અમદાવાદ શહેર જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલા તથા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રની કામગીરી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ કરવા હુકમ કરાયો છે. સેવા સંબંધિત કામગીરી માટે આવશ્યક સંજોગોમાં જ સંબંધિત મામલતદારનો સંપર્ક કરવા જણાવાયુ છે.

આ પણ વાંચો -જનસેવા કરતી ટીમે અમદાવાદ સોલા સિવિલના દર્દીઓ સાથે કરી મૂલાકાત

અતિ આવશ્યક સેવાઓ સિવાય સામાન્ય નાગરિકોનો કચેરીમાં પ્રવેશ પર પ્રતિબંધ

આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી તથા તાબા હેઠળની પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીઓ ઉપરાંત મામલતદરના તાબા હેઠળની ચોરા-ચાવડીઓ ખાતે અતિ આવશ્યક સંજોગો સિવાય અરજદારોની મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું હર્ષદ વોરાએ જણાવ્યું છે.

આ પણ વાંચો -અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં 24 અધિકારીઓ પોઝિટિવ, હવે 50 ટકા અરજદારોને બોલાવાશે

ABOUT THE AUTHOR

...view details