ગુજરાત

gujarat

ETV Bharat / state

નરેન્દ્ર મોદીને ચાની કિટલીથી PM પદ સુધી પહોંચાડવામાં મદદ કરનારા હીરાબાનું જીવન, કરીએ એક નજર - undefined

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીની તબિયત અચાનક બગડતા તેમને યુ. એન. મહેતા હોસ્પિટલ દાખલ (PM Modi Mother Hiraba admitted) કરાયાં હતા. ત્યારે આજે વહેલી સવારે 3.30 વાગ્યે હીરાબા મોદીનું 100 વર્ષની વયે નિધન (Pm Modi mother Heeraba passed away) થયું છે. તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ગયા છે. (Profile Story Of PM Modi Mother Heeraba)

નરેન્દ્ર મોદીને ચાની કિટલીથી PM પદ સુધી પહોંચાડવામાં મદદ કરનારા હીરાબાનું જીવન, કરીએ એક નજર
નરેન્દ્ર મોદીને ચાની કિટલીથી PM પદ સુધી પહોંચાડવામાં મદદ કરનારા હીરાબાનું જીવન, કરીએ એક નજર

By

Published : Dec 30, 2022, 8:09 AM IST

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીની તબિયત અચાનક બગડતા તેમને યુ. એન. મહેતા હોસ્પિટલ દાખલ (PM Modi Mother Hiraba admitted) કરાયાં હતા. ત્યારે આજે વહેલી સવારે 3.30 વાગ્યે હીરાબા મોદીનું 100 વર્ષની વયે નિધન (Pm Modi mother Heeraba passed away) થયું છે. તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ગયા છે. (Profile Story Of PM Modi Mother Heeraba)

હીરાબાના સંઘર્ષમય જીવન પર કરીએ એક નજર :વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે. ત્યારે એક વાર હીરાબા (PM Modi Mother Hiraba) મળવા અચૂક જતા હતા. તેમના પુત્ર નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. તેમ છતાં હીરાબા મોદી ખૂબ જ સાદગીભર્યું જીવન જીવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા મોદી 100 વર્ષના હતા. અત્યારે તેઓ તેમના નાના પૂત્ર પંકજ મોદીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને રહેતા હતા. ત્યારે આવો તેમના સંઘર્ષમય જીવન પર કરીએ એક નજર. (Profile Story Of PM Modi Mother Heeraba)

હીરાબાનું જીવન પર કરીએ એક નજર

નાની વયે થયું હતું પતિનું અવસાન : મૂળ વતન મહેસાણા પાસેના વડનગરના દામોદરદાસ મૂળચંદ મોદી સાથે હીરાબા (PM Modi Mother Heeraba) ના લગ્ન થયાં હતાં. તેઓ મોઢ ઘાંચી (OBC)માં ગણાય. દામોદરદાસની વડનગરના રેલવે સ્ટેશન પર ચાની દુકાન હતી. ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે હીરાબા (PM Modi Mother Hiraba) ઘરકામ કરવા જતા હતાં અને તેમના પતિને ઘર ચલાવવામાં મદદ કરતાં હતાં, પરંતુ નાની વયે દામોદરદાસને કેન્સર થતાં તેમનું અવસાન થયું હતું.

5 પૂત્રો અને એક પૂત્રી છે :હીરાબા મોદીને (PM Modi Mother Heeraba) પાંચ પૂત્રો અને એક પૂત્રી છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 4 ભાઈઓ ( PM Modi Brothers ) અને એક બહેન છે. હીરાબાના (PM Modi Mother Hiraba) સૌથી મોટા પૂત્ર સોમાભાઈ મોદી ગુજરાતમાં આરોગ્ય વિભાગમાંથી રીટાયર્ડ ઓફિસર છે. તેમનાથી નાના અમૃત મોદી લેથ મશીન ઑપરેટર હતા. તે રીટાયર્ડ થઈ ગયા છે. તેમનાથી નાના છે પ્રહલાદ મોદી, જેેમની સસ્તા અનાજની દુકાન છે. ચોથા નંબરે નરેન્દ્ર મોદી જેઓ હાલ દેશના વડાપ્રધાન પદ પર છે. તેમનાથી નાના પંકજ મોદી છે, તે ગુજરાત સરકારના માહિતી વિભાગમાં ફરજ બજાવે છે. હીરાબાને વસંતીબહેન (PM Modi Sister) નામે એક પૂત્રી છે.

હીરાબાનું જીવન પર કરીએ એક નજર

હીરાબાને ગૌરવ કેમ ન હોય :હીરાબાએ (Memories of PM Modi with Mata Heeraba ) નરેન્દ્ર મોદી 13 વર્ષના હતા. ત્યારે તેમની સગાઈ જશોદાબેન સાથે કરાવી હતી. નરેન્દ્ર મોદી 18 વર્ષના થયા ત્યારે તેમના લગ્ન કરાવી દીધા હતાં. જોકે, નરેન્દ્ર મોદી હિમાલય ચાલ્યા ગયાં હતાં. નરેન્દ્ર મોદી નાનપણથી સંઘને અનુસરતા હતા અને સંઘ પરિવારનો હિસ્સો બની ગયા હતા. રાજકારણમાં જોડાયા અને ત્યારપછી તેઓ અહીં સુધી પહોંચ્યા છે.

હીરાબાનું જીવન પર કરીએ એક નજર

હીરાબાની શીખ બેટા કદી લાંચ ન લઈશ :નરેન્દ્ર મોદી જ્યારે 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા, ત્યારે હીરાબાના (PM Modi Mother Hiraba) આર્શીવાદ લેવા ગયા હતા. ત્યારે હીરાબા (PM Modi Mother Hiraba) એ નરેન્દ્ર મોદીને શીખ આપી હતી કે ‘બેટા કદી લાંચ ન લઈશ’. તે પછી નરેન્દ્ર મોદી ગુજરાતના ચાર વખત સીએમ બન્યાં અને સૌથી લાંબા કાર્યકાળમાં સીએમ રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

વર્ષ 2014માં હીરાબાને પગે લાગીને આર્શીવાદ લીધાં : 2014માં લોકસભાની ચૂંટણી આવી ત્યારે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપ લોકસભાની ચૂંટણી લડ્યો અને જીત પણ મેળવી હતી. 16 મે, 2014ના રોજ જીત મેળવ્યા પછી નરેન્દ્ર મોદીએ હીરાબાના આર્શીવાદ (PM Modi Mother Hiraba) લેવા માટે ગયાં હતાં. ત્યારે તેમણે હીરાબા (PM Modi Mother Hiraba Family) ને પગે પડીને તેમના આર્શીવાદ લીધાં હતાં. 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના દેશના 14માં વડાપ્રધાન પદે શપથગ્રહણ કર્યા હતા.

હીરાબાનું જીવન પર કરીએ એક નજર

નવાઝ શરીફે હીરાબાને સાડી ભેટ આપી : 2014ના વર્ષમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે હીરાબાને સાડી ભેટ કરી હતી. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફના માતાને શાલ ભેટ કરી હતી. પીએમ મોદીએ એક ઈન્ટરવ્યૂમાં ( Memories of PM Modi with Mata Heeraba )કહ્યું હતું કે તેમના જીવનમાં માનું ( PM Modi Mother Hiraba Family ) ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે અને તે તેમના જીવનનો આધાર છે.

હીરાબા ઘરકામ કરતાં હતા તે વાત કરતાં PM રડી પડ્યાં :પીએમ મોદી 2015માં જ્યારે અમેરિકાની મુલાકાતે ગયાં હતાં ત્યારે ટાઉનહોલમાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ સાથેની વાતચીતમાં તેમની આર્થિક સ્થિતિ પર વાત કરતાં કહ્યું કે તેમના માતા ( PM Modi Mother Hiraba Family ) તેમનું બધુંય કામ જાતે કરે છે. તે ભણેલી નથી, પણ ટીવી પર દેશ અને દુનિયાના સમાચાર જુએ છે. ઘરમાં ગુજરાન ચલાવવા માટે હીરાબા અડોશપડોશમાં ઘરકામ કરવા જતાં હતાં. વાસણો સાફ કરવા, કચરો વાળવો, મજૂરી કરવી, તે વાત કરી ત્યારે તેમની આંખમાં આંસુ સાથે ભાવુક થયાં હતાં અને કેટલીક ક્ષણો તો તે વાત કરી શક્યા ન હતાં.

હીરાબા દિલ્હી 7 રેસકોર્સ વડાપ્રધાન નિવાસસ્થાને ગયાં :16 મે, 2016ના રોજ પીએમ મોદીએ તેમના માતા હીરાબાને દિલ્હી તેડાવ્યાં હતાં અને 7 રેસકોર્સ વડાપ્રધાન નિવાસસ્થાન બતાવ્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને હીરાબાને વ્હીલચેરમાં બેસાડીને ગાર્ડનમાં ફેરવતાં હોય તેવા ફોટા શેર કર્યા હતા. ત્યારે તો બધાને ખબર પડી કે લ્યો બોલો હીરાબા દિલ્હી પહોંચી ગયા છે.

હીરાબાએ બેન્કમાં જઈને જાતે નોટો બદલાવી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 નવેમ્બર, 2017ના રોજ ડીમોનેટાઈઝેશન કર્યું હતું. 500 અને 1000ની નોટ બંધ કરી હતી. ત્યારે તેમના પુત્રના નિર્ણયને સપોર્ટ આપવા માટે હીરાબા 15 નવેમ્બર, 2017ના રોજ જાતે બેન્કમાં જઈને નોટો બદલાવી હતી અને વિરોધીઓના મોઢા બંધ કરાવ્યા હતા.

નરેન્દ્ર મોદીના શપથગ્રહણ હીરાબા ટીવીમાં લાઈવ જોવે : 2019માં લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha Election 2019) પીએમ મોદીએ સ્પષ્ટ બહુમતીથી ભાજપને જીતાડ્યો હતો. ત્યારે 23 મે, 2019ના રોજ હીરાબા પંકજભાઈના ઘરની બહાર આવીને મીડિયા અને પ્રજાને હાથ જોડીને આભાર માન્યો હતો. 26 મે, 2019ના રોજ પીએમ મોદી હીરાબાના આર્શીવાદ લેવા માટે આવ્યા હતાં અને તેમની તબિયતના ખબરઅંતર પૂછ્યાં હતાં. ત્યાર પછી 30 મે, 2019ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતાં. તમામ શપથગ્રહણ વખતે હીરાબા ટીવી પર લાઈવ પ્રસારણ જોઈને તાળીઓ પાડીને તેમના દીકરાને વધાવતા રહ્યાં છે અને હર્ષના આંસુ સાથે આર્શીવાદ પણ વરસાવતા હતા.

હીરાબાની યાદશક્તિ અને પાચનશક્તિ ખૂબ સરસ છે પંકજ મોદી :હીરાબાના પુત્ર પંકજ મોદી કે જેમની સાથે હીરાબા રહે છે. તે પંકજભાઈએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હીરાબા બિલકુલ રૂટિન લાઈફ જીવે છે. દરરોજ સવારે વહેલાં ઉઠે છે. નાહીધોઈને પૂજા કરે છે. માળા કરે છે. ચા નાસ્તો કરે છે. દેશ અને દુનિયાના ટીવી પર સમાચાર જોવાના અને ધાર્મિક કથાઓ સાંભળે છે. બપોરે જમવાનું અને સાંજે પણ જમવાનું. તેમની પાચનશક્તિ પણ ખૂબ સારી છે. હીરાબા બધું જ જે ઘરમાં જમવાનું બનાવ્યું હોય તે બધું જ જમે છે. પૂરતો ખોરાક પણ લઈ શકે છે. તેમની યાદશક્તિ પણ એટલી જ સરસ છે. તેમને બીપી કે ડાયાબિટીસ જેવો કોઈ રોગ નથી અને હીરાબા એકપણ દવાની ટીકડી લેતા નથી. તેઓ બિલકુલ સ્વસ્થ અને રૂટિન જીવન જીવે છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details