ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાંડીયાત્રાના પદયાત્રિકોને આપશે લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે ઐતિહાસિક દાંડીયાત્રાના દિવસે ફરીથી અમદાવાદના મહેમાન બનશે, અને સાબરમતી આશ્રમમાં દાંડીયાત્રાના પદયાત્રિકોને પ્રસ્થાન કરાવશે. આ પદયાત્રા 6 એપ્રિલના રોજ નવસારીના દાંડી ગામે પૂર્ણ થશે. પદયાત્રામાં કુલ 81 પદયાત્રીઓ અમદાવાદથી દાંડી સુધીની યાત્રા કરશે તેમજ સાથે-સાથે સમગ્ર ઉજવણી બે વર્ષ સુધી ચાલશે. તેવું રાજ્ય સરકારે આયોજન કર્યું છે.

By

Published : Mar 10, 2021, 10:45 PM IST

Updated : Mar 11, 2021, 10:42 PM IST

દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણી શરૂ કરશે
દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણી શરૂ કરશે

  • દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણી શરૂ કરશે
  • સાબરમતી આશ્રમથી 81 પદયાત્રીઓ દાંડી સુધીની યાત્રા કરશે
  • દાંડીયાત્રાનો સમાપન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ રહેશે ઉપસ્થિત
    12 માર્ચે દાંડીયાત્રા

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીની શરૂઆત કરશે. આ ઐતિહાસિક દાંડીયાત્રામાં કુલ 81 પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા કરશે તેમજ સાથે-સાથે સાયકલ સવારો, બાઈક સવારો પણ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા કરશે. બારડોલી, પોરબંદર, રાજકોટ, વડોદરા અને માંડવી સહિત જિલ્લા મથકો અને અન્ય સ્થળોએ 75 જેટલા કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો સભ્યો જોડાશે.

આ પણ વાંચો:દાંડી યાત્રાનું 91મું વર્ષઃ વડાપ્રધાન મોદી 12 માર્ચે 21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે

કાર્યક્રમો દ્રારા લોકો પ્રત્યે સંવેદના જગાવશે

પદયાત્રિકો દાંડીયાત્રા માર્ગના 21 સ્થળોએ પદયાત્રાના રાત્રિ રોકાણ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે અને આઝાદીના અમૃત મહોત્સવ સાથે સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સુરક્ષા, જળસંચય જેવા સામાજિક પરિવર્તનના કાર્યક્રમો દ્વારા લોકો પ્રત્યે સંવેદના જગાવવામાં આવશે.

આ પણ વાંચો:12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમે આવે તેવી સંભાવના

Last Updated : Mar 11, 2021, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details