ગુજરાત

gujarat

ETV Bharat / state

'ક્યાર' ઓમાન તરફ ફંટાયું, દરિયાકાંઠે પવન સાથે સામાન્ય વરસાદની શક્યતા - Latest news of Ahmedabad

અમદાવાદ: ક્યાર વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરથી ખતરો ટળ્યો છે. જેથી આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેમાં ખાસ દ્વારકા અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતા છે.

ewww

By

Published : Oct 29, 2019, 11:54 AM IST

Updated : Oct 29, 2019, 3:16 PM IST

અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાને લીધે દિવાળીના જ દિવસે ભારે પવન ફૂંકાવાની શક્યતા હતી. જેથી વેરાવળ, પોરબંદર, અમરેલીના બંદરોએ 2 નંબરના સિગ્નલ લગાવાયા હતા. જોકે , હવે વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે, પરંતુ અસર અનેક જગ્યાએ જોવા મળી રહી છે. ક્યાર વાવાઝોડાની અસર ઘટતાં તાપમાનમાં વધારો થશે. નવેમ્બરથી ઠંડીનું જોર વધે એવી શક્યતા છે.

Last Updated : Oct 29, 2019, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details